ભારતમાં એવા ઘણા મંદિરો છે જે પોતાના ચમત્કારને લઇને વિશ્વ ભરમાં જાણીતા છે. તમે પણ ઘણા ચમત્કારીક મંદિરો વિશે જાણ્યું હશે, પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવશું કે, જેના વિશે જાણી તમે ચોકી જશો કારણ કે, આ મંદિરે કોઇ દેવી દેવતાની નહીં પણ 200 વર્ષ જૂના આ મંદિરમાં દેડકાની પૂજા કરવામાં આવે છે, જેનુ કારણ પણ ખૂબ જ રહસ્યમય છે, તો આવો જાણીએ.
આ અનોખુ મંદિર ઉત્તરપ્રદેશના લખીમપુરા-ખીરી જીલ્લાના ઓયલ કસ્બામાં સ્થિત છે. આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં દેડકાની પૂજા કરવામાં આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ જગ્યા ઓયલ શૈવ સંપ્રદાયના પ્રમુખ કેદ હતા અને અહીંના શાસક ભગવાન શિવના ઉપાસક હતા. જે કસ્બા વચ્ચે મંડૂક યંત્ર પર આધારિત પ્રાચીન શિવ મંદિર પણ છે.
આ ક્ષેત્ર 11મી સદીથી 19મી સદી સુધી ચાહમાન શાસકોને આધીન રહ્યું હતું. ચાહમાન વંશના રાજા બખ્શસિંહે આ મંદિરનું અનોખું નિર્માણ કરાવ્યું હતું. કહેવમાં આવે છે કે, આ મંદિરની વાસ્તુ પરિકલ્પના કપિલાના એક મહાન તાંત્રિકે કરી હતી. તંત્રવાદ પર આધારિત આ મંદિરની વાસ્તું સંરચના પોતાની વિશેષ શૈલીના કારણે લોકોનું મન મોહી લે છે.
કહેવામાં આવે છે કે, આ મંદિર 200 વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર દુષ્કાળ અને પૂર જેવા કુદરતી આપત્તિ સામે રક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં દીપાવલી ઉપરાંત, મહાશિવરાત્રી પર ભક્તોની વિશાળ ભીડ જામે છે.