દયા અને કરૂણાનો સાગર જલિયાણ...જે દુખિયાના બન્યા મસીહા. જેને ક્ષુધાને આપ્યો સંતોષનો ઓડકાર. એવા બાપા જલિયાણનો દરબાર. આ દરબાર વિશે આજે એટલા માટે વાત કરવી છે. કારણ કે, જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પુરા થયા છે.
સદાવ્રતના 200 વર્ષની ઉજવણી
જય જલારામના નાદથી ગુંજ્યું વિરપુર
જેની વિરપુર ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે. સદાવ્રત એટલે કે, જ્યાં ક્યારેય પણ અન્નના ભંડાર નથી ખુટતા. જ્યાં 24સે કલાક ભૂખ્યાની આતરથી ઠરે છે. ત્યારે કેવો છે વિરપુરમાં ભક્તીનો માહોલ અને શું છે સદાવ્રત સાથે જોડાયેલી કહાણી.
વીરપુર આજે જગ વિખ્યાત છે,
રાજકોટ શહેરથી 55 કિલોમીટર દૂર આવેલ વીરપુર આજે જગ વિખ્યાત છે, સૌરાષ્ટ્ર ના આ નાના એવા વીરપુરનું નામ આવતા જ અહીંના સંત પૂજ્ય જલારામ બાપા ની યાદ આવી જાય, જલારામ બાપા આજ થી બરોબર 200 વર્ષ પહેલા ઇસ.વી. સન 1977 માં વીરપુરના પ્રધાન ઠક્કર અને રાજબાઇ ના સંતાન થઇ ને જન્મ લીધો હતો.
જલારામ બાપાને માત્ર 16 વર્ષની ઉંમરે વીરબાઈ માં સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે નાની ઉમર માંજ તેવોને ભક્તિ ની લગ્ન લાગી હતી ને રામ ના પરમ ભક્ત બની ગયા હતા, અને આ નાની ઉંમરે જ તેવો એ અમરેલી ના ફતેપુર ગામના સંત શ્રી ભોજલરામ ને પોતાના ગુરુ માની લીધા હતા, અને ભક્તિ માં ગળા ડૂબી થઇ ગયા હતા જેમાં તેના ધર્મપત્ની માં વીરબાઈ માં નો પૂરો સાથ મળ્યો હતો.
વિક્રમ સવંત 1876 અન્નક્ષેત્રનો કર્યો પ્રારંભ
ભગવાન ની ભક્તિ માં ડૂબેલા જલારામ બાપા ને ગુરુ શ્રી ભોજલ રામ બાપા ની પ્રેરણા થી ભૂખ્યા ને અને સાધુ સંતો ને ભોજન કરાવી ને સેવા કરવાની પ્રેરણા થઇ અને વિક્રમ સવંત 1876 માં તેવો એ સદાવ્રતનો પ્રારંભ કર્યો જેમાં તેને તેના પત્ની માં વીરબાઈ માં નો પુરે પૂરો સાથ સહકાર મળ્યો અને તેવો રોજ જે ભૂખ્યા હોય અને સાધુ સંત આવે તેને ભોજન કરાવવા લાગ્યા જેમાં તેવો ને ઘણી મુશ્કેલી પણ પડતી.
200 વર્ષ થી અવરિત ચાલે છે આ પરંપરા
ભૂખ્યા અને સાધુ સંતોને ભોજન કરાવવા માટે તેવો દિવસે ખેત મજૂરી કરતા અને જે પૈસા કમાતા તેમાં થી તેવો આ સદાવ્રત ચલાવતા, હતા એક વખત જયારે પૈસા ની ખોટ થઇ ત્યારે વીરબાઈ માં એ પોતાના બધા સોના ના દાગીના આપી ને પણ સદાવ્રત ચલાવેલ હતું અને ભૂખ્યા અને સાધુ અને સંતો ને ભોજન કરાવેલ, અને હવે આ સદાવ્રત ને 200 વર્ષ થી અવરિત ચાલે છે