જમ્મૂ કાશ્મીરના પોલિસ મહાનિર્દેશક દિલબાગ સિંહે દાવો કર્યો છે કે રાજ્યમાં 200થી 300 આતંકવાદીઓ સક્રિય છે અને પાકિસ્તાન શિયાળો શરૂ થતાં પહેલાં જ વધારેમાં વધારે સંખ્યામાં આતંકીઓને ધૂસાડવા માટે સીમા પર ફાયરિંગ કરી રહ્યું છે.
પોલિસનો દાવો છે કે ઘાટીમાં સક્રિય છે 200થી 300 આતંકીઓ
PAKની તરફથી સતત થઈ રહી છે ઘૂસણખોરીની કોશિશ
સુરક્ષાદળ ઘૂસણખોરીની કોશિશને કરી રહ્યું છે નાકામ
શિયાળો શરૂ થતાં પહેલાં મોટી સંખ્યામાં ઘૂસણખોરીની તૈયારીમાં પાકિસ્તાન
જમ્મૂ કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરીથી પાકિસ્તાન પીછેહઠ કરી રહ્યું નથી. પાકિસ્તાન ભારતમાં આતંકીઓની પ્લાટિંગ સીમાપારથી ઘૂસણખોરી કરાવવા માટે સતત ક્રોસ બોર્ડર ફાયરિંગ પણ કરી રહ્યું છે. જમ્મૂ કાશ્મીરના પોલિસ મહાનિર્દેશક દિલબાગ સિંહે રવિવારે આ જાણકારી આપી હતી. તેઓએ કહ્યં કે રાજ્યમાં 200થી 300 આતંકવાદીઓ સક્રિય છે અને પાકિસ્તાને શિયાળા પહેલાં આતંકવાદીઓને ઘૂસાડવાની તૈયારી શરૂ કરી દીધી છે. દિલબાગ સિંહે દાવો કર્યો છે કે હાલમાં સીમા પારથી મોટી સંખ્યામાં આતંકવાદી રાજ્યમાં ઘૂસવામાં સફળ રહ્યા છે જ્યારે ઘૂસણખોરી નિરોધક વ્યવસ્થાએ અનેક ઘૂસણખોર આતંકીઓની કોશિશને વિફળ કરી છે.
200થી 300 આતંકી ઘાટીમાં સક્રિય
દિલબાગ સિંહ પાકિસ્તાનના સીમાવર્તી વિસ્તારમાં પૂંછની મુલાકાતે ગયા હતા. તેઓ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા ગયા હતા. તેઓએ અહીં મીડિયાને સંબોધીને કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા 200થી 300ની છે. આ આંકડો સ્થિર રહેતો નથી તેમાં બદલાવ આવતા રહે છે.
ઘૂસણખોરીને માટે PAKનું સીઝફાયર
દિલબાગ સિંહે કહ્યું કે પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકીઓની ઘૂસણખોરીને લઈને સીમાવર્તી વિસ્તારોમાં સીઝફાયર તોડી રહ્યું છે. પોલિસ મહાનિર્દેશનકે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં મોટી સંખ્યામાં સંધર્ષ વિરામ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રિય સીમાની પાસેના વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેમાં કનાચક, આરએસ પુરા અને હીરાનગરમાં પૂંછ, રાજૌરી, ઉરી, નાંબલા, કરનાહ અને કેરળમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી રહી છે.
ઘૂસણખોરી રોકવામાં સુરક્ષાબળ સફળ
પોલિસ મહાનિર્દેશકનો દાવો છે કે આ સંઘર્ષ વિરામ ઉલ્લંધનાના હેતુથી શિયાળાની શરૂઆત પહેલાં વધુમાં વધુ સંખ્યામાં આતંકવાદીઓને જમ્મૂ કાશ્મીરમાં મોકલવાનો છે. તેઓએ કહ્યું કે અમે ઘૂસણખોરી રોકવા માટે સક્ષમ છીએ. અમારી સિસ્ટમ મજબૂત છે. હાલમાં જ ઘૂસણખોરીની અનેક કોશિશને વિફળ બનાવી છે. તેઓએ દાવો કર્યો છે કે ગુલમર્ગ સેક્ટરમાં બે પાકિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. અને ગાંદેરબલમાં 4 દિવસના અભિયાનમાં બે આતંકવાદીઓને ઠાર મરાયા છે.
કેટલીક જ્ગ્યાઓએ જોવા મળ્યા આતંકીઓ
પોલીસ મહાનિર્દેશકનો દાવો છે કે કેટલીક જગ્યાએ આતંકવાદીઓ જોવા મળ્યો છે અને અમે તેમને માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આર્ટિકલ 370ના આધારે જમ્મૂ કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા બાદ રાજ્યની સ્થિતિ વિશે તેઓએ કહ્યું છે કે જમ્મૂ, લેહ અને કારગિલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને કાશ્મીરમાં પણ વાતાવરણ સુધરી રહ્યું છે. શ્રીનગરમાં ટ્રાફિક જામ શરૂ થયો છે. બજાર ખૂલ્યા છે અને બિઝનેસ શરૂ થયો છે. જનજીવન 5 ઓગસ્ટથી ખોરવાયું હતું. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા.