આ રિપોર્ટ સામે આવ્યા બાદ બીએસએફ અને સેનાની બોર્ડર એટલે કે એલઓસી પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવી, તાજેતરમાં જ બે આતંકવાદીઓને હથિયારો સાથે ઝડપાયા હતા
જમ્મુ કશ્મીરમાં 200થી વધુ આતંકવાદીઓ ઘૂસપેટ કરવાની તૈયારીમાં
જાણકારી મળતા જ એલઓસી પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું
આતંકવાદીઓ ઘૂસપેટ માટે સુરંગ કે નદીનો રસ્તો શોધી રહ્યા છે
અમરનાથ યાત્રા વચ્ચે જમ્મુ કશ્મીરમાં 200થી વધુ આતંકવાદીઓ ઘૂસપેટ કરવાની તૈયારીમાં છે. આ જાણકારી જાસૂસી સંસ્થાઓના એક એક રિપોર્ટમાં સામે આવી છે. એક ઉચ્ચ અધિકારીએ આ જાણકારીને લઈ જણાવ્યું હતું કે, આ રિપોર્ટ સામે આવ્યા બાદ બીએસએફ અને સેનાની બોર્ડર એટલે કે એલઓસી પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, આતંકી ઘૂસપેટ માટે સુરંગ કે નદીનો રસ્તો શોધી રહ્યા છે. આ આતંકવાદીઓનો સંબંધ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુઝાહિદ્દીન સાથે છે.
તાજેતરમાં જ બે આતંકવાદીઓને હથિયારો સાથે ઝડપાયા હતા
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના તુક્સાનના ગ્રામજનોએ લશ્કરના બે આતંકવાદીઓને હથિયારો સાથે પકડીને પોલીસને હવાલે કર્યા છે. તેમની પાસેથી 2 AK-47 રાઈફલ, 7 ગ્રેનેડ અને એક પિસ્તોલ મળી આવી છે. ડીજીપીએ ગ્રામજનો માટે 2 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ રિયાસી જિલ્લાના તુક્સન ગામમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને પકડનારા બહાદુર ગ્રામજનો માટે 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ રાજૌરીના ફૈઝલ અહમદ ડાર અને તાલિબ હુસૈન તરીકે થઈ છે. ફૈઝલ અહેમદ લશ્કર-એ-તૈયબાનો એ શ્રેણીનો આતંકવાદી છે.
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ગ્રામજનોએ બે ભારે હથિયારોથી સજ્જ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને પોલીસને સોંપ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. લશ્કર તૈયબાએ અમરનાથ યાત્રા પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આ માટે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર અમરનાથ યાત્રાને નિશાન બનાવવાની હતી. પકડાયેલા આતંકવાદીઓમાં બાબા અમરનાથની યાત્રા પર હુમલાના ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ પણ સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તાલિબ હુસૈન અગાઉ રાજૌરીમાં બે આઈડી બ્લાસ્ટ કરીને ટ્રાયલ કર્યો હતો. ત્યાર બાદ તે ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો સાથે રાજૌરીથી ભાગી ગયો હતો. જો કે, તેના બે સાથીદારો એક અઠવાડિયા પહેલા જ રાજૌરીમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.