લગભગ 200 ખેડૂતો ગુરુવારે બસોના માધ્યમથી જંતર મંતર પર શાંતિપૂર્ણ રીતે પ્રદેશન કરશે.
ખેડૂતો સવારે 10.30 વાગે જંતર મંતર પહોંચશે
દિલ્હી સરકારે આપી જંતર- મંતર પર પ્રદર્શનની પરવાનગી
લાલ કિલ્લાની સુરક્ષા વધારવામાં આવી
ખેડૂતો સવારે 10.30 વાગે જંતર મંતર પહોંચશે
જંતર મંતર પર કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો સવારે 10.30 વાગે જંતર મંતર પહોંચશે. જંતર મંતર પર ચર્ચ સાઈટ તેમણે શાંતિપૂર્ણ રીતે બેસાડવામાં આવશે. ખેડૂતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને અર્ધસૈનિક દળોની 5 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તમામના ઓળખપત્ર ચેક કર્યા બાદ જ બેરિકેડની અંદર મોકલવામાં આવશે. સાંજે 5 વાગે ખેડૂતો પોતાનું પ્રદર્શન પરુ કરી પાછા સિંધુ બોર્ડર પાછા ફરશે.
સંયુક્ત ખેડૂત મોર્ચા દ્વારા જારી પ્રેસ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર મોનસૂન સત્ર દરમિયાન સંસદની નજીક ‘ખેડૂત સંસદ’ ચાલશે. સંયુક્ત ખેડૂત મોર્ચાનો દાવો છે કે ભારતના વિભિન્ન રાજ્યોમાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે.
દિલ્હી સરકારે આપી જંતર- મંતર પર પ્રદર્શનની પરવાનગી
દિલ્હી સરકારે જંતર મંતર પર ખેડૂતોને ધરના પ્રદર્શન કરવાની પરવાનગી આપી છે. દિલ્હી સરકારે ઔપચારિક આદેશ જારી કર્યો છે. 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન સંયુક્ત ખેડૂત મોર્ચાના વધારેમાં વધારે 200 પ્રદર્શનકારીઓ ધરણા પર પ્રદર્શન કરી શકે છે. કોરોનાના નિયમોની સાથે ધરણા પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે. દિલ્હીમાં ઈમરજન્સી મેન્જમેન્ટ એક્ટ લાગૂ છે. જેના ચાલતા DDMAના દિશા નિર્દેશ અંતર્ગત અનેક જમાવડો ન થઈ શકે પરંતુ ખેડૂતોના આંદોલન માટે દિલ્હી સરકારને દિશા નિર્દેશોમાં સંશોધન કર્યો અને પરવાનગી આપી છે.
બીજી તરફ સિંધુ બોર્ડર પહોંચીને આઈએનએલડી નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ કહ્યુ કે તે કાલે સંસદને ઘેરશે. તેમણે કહ્યું કે તે કાલે દિલ્હીમાં ધરણા આપશે અને એક થઈને સંસદમાં જઈને કાળા કાયદાનો વિરોધ કરશે. એવી સ્થિતિ પેદા કરીશું કે સરકારને મજબૂર થઈને કાયદો પાછો લેવો પડશે.
લાલ કિલ્લાની સુરક્ષા વધારવામાં આવી
બીજી તરફ લાલ કિલ્લાની સુરક્ષાને લઈને એડિશનલ ડીસીપી અનિરા રોયે જણાવ્યું કે અહીં 3 શીફ્ટમાં અમારી ડ્યૂટી રહે છે. લાલકિલ્લાને 24 કલાક સુરક્ષા કવર આપવામાં આવ્યું છે. લાલ કિલ્લાન પર આવતા જતા રસ્તા પર સુરક્ષા મજબૂત થશે. ડ્રોન જેવા હુમલાને નિષ્ફળ બનાવવાની પૂર્ણ તૈયારી છે. એક તો ટ્રેનિંગ અને રુફ સ્ટાફને જણાવવામાં આવ્યું છે કે કેવા પગલા ભરવાના રહેશે. આ ઉપરાંત એરફોર્સ, DRDO, NSGની સાથે મળીને 360 ડિગ્રી કવરેજ આપવામાં આવશે. તેમની મોકડ્રિલ કરવામાં આવશે. કોરોનાને જોતા આવું પહેલા કરવામાં આવ્યું હતું. તે 20- 20 રહેશે.