સાપ કરડવાથી થતાં મૃત્યુને રોકવું એ હજુ પણ એક મોટી સમસ્યા છે. સ્નેક બાઇટથી દુનિયાભરમાં રોજ ર૦૦ લોકો મૃત્યુ પામે છે. એટલું જ નહીં સાપ કરડવાથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૧,૩૮,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. સાપનાં ઝેરની અસરથી વાર્ષિક ચાર લાખ લોકો અપંગ બને છે. વધુ મોત આફ્રિકાના સહારા ક્ષેત્ર અને એશિયામાં થાય છે.
બેંગકોકઃ સાપ કરડવાથી થતાં મૃત્યુને રોકવા હજુ પણ એક મોટી સમસ્યા છે. સ્નેક બાઇટથી દુનિયાભરમાં રોજ ર૦૦ લોકો મૃત્યુ પામે છે. એટલું જ નહીં સાપ કરડવાથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૧,૩૮,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. સાપનાં ઝેરની અસરથી વાર્ષિક ચાર લાખ લોકો અપંગ બને છે. વધુ મોત આફ્રિકાના સહારા ક્ષેત્ર અને એશિયામાં થાય છે. તેનું કારણ દુનિયામાં એન્ટીવેનમ (સાપના ઝેરને ખતમ કરનાર)ની ખાસ્સી કમી છે.
થાઇલેન્ડના ફાયરકર્મી પિન્યો પૂકપિન્યો ખુદને ભાગ્યશાળી ગણાવે છે. તેમના હાથના અંગૂઠામાં કિંગ કોબ્રાએ બાઇટ કર્યું હતું. તેઓ ૧પ મિનિટની અંદર હોસ્પિટલ પહોંચી ગયા. કિંગ કોબ્રાનું ઝેર નર્વસ સિસ્ટમને ખતમ કરી દે છે. પિન્યોને તાત્કાલિક એન્ટીવેનમ અપાયું. ડોકટરને પહેલીવારમાં વિશ્વાસ ન આવ્યો કે તેમને કિંગ કોબ્રા કરડયો છે. તેમણે કહ્યું કે હું સાપને લઇને લોકોને ટ્રેનિંગ આપું છે. કેમકે હું સાપને સારી રીતે ઓળખું છે.
સાપ કરડવાથી થતાં મૃત્યુને ઘટાડવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ યોજના તૈયાર કરી છે. આ માટે ર૦૩૦ સુધી રૂ.૯૪૩ કરોડ ખર્ચવાનો પ્લાન છે જેથી વધુમાં વધુ જગ્યાઓ પર લોકોને એન્ટીવેનમ યોગ્ય સમયે મળી શકે. વેલકમ ટ્રસ્ટે પણ સ્નેક બાઇટના ઇલાજ માટે સાત વર્ષમાં રૂ.૭૦૦ કરોડ ખર્ચવાનું નકકી કર્યું છે. ૧૯મી સદી પછી હાલની પદ્ધતિમાં થોડું પરિવર્તન આવ્યું છે.
ઝેરને એક સાપમાંથી કાઢીને ઇમ્યુન પ્રતિક્રિયા તપાસવા માટે ઓછા ખોરાકમાં ઘોડા કે જાનવરોને અપાય છે. ઝેર વિરુદ્ધ કામ કરનાર એન્ટી બોડી મેળવવા માટે પશુના લોહીને કાઢીને શુદ્ધ કરાય છે. સ્નેક બાઇટ સાયન્ટિસ્ટ ફીલ પ્રાઇસ કહે છે કે એન્ટી વેનમ હજુ પણ પરફેકશનથી દૂર છે. તેનું એવું પરીક્ષણ થતું નથી. જેવું અન્ય દવાઓનું થાય છે. સ્નેક બાઇટ હજુ પણ દુનિયામાં સૌથી ખતરનાક છે. ભારતનાં ઘણાં વિસ્તારોમાં રસેલ વાઇપર અને કેરળમાં કિંગ કોબ્રા મળી આવે છે.