રોડ રસ્તા કમિટી દ્વારા વરસે દહાડે કરોડોના કોન્ટ્રાક્ટ અપાય છે. જેમાં ટેન્ડરમાં રોડ બનાવવાના ભાવ સાથે તેની જાળવણી કેટલાક કામમાં બાંધકામ પૂર્ણ કરવુ ન થાય તો શું દંડ કરવો તેવી તમામ જોગવાઈ હોય જ છે જેનું પાલન ન તો કોન્ટ્રાક્ટર કરે છે ન મનપા તેનું પાલન કરાવડાવે છે. અમદાવાદની જ વાત લઈ લો જ્યારે ગુજરાત હાઈકોર્ટે દખલ કરી ત્યારે કમિશનર જાગ્યા હતા. અને રસ્તા રોડ સરખા કરાવવા અમદાવાદ મનપાને ટપારી હતી. પરંતુ સુરતની હાલત અમદાવાદથી પણ બદ્દતર છે.
મનપા દ્વારા ટેન્ડરોની જોગવાઇમાં કરાયા ફેરફારો
રસ્તા રિકાર્પેટ કરતી એજન્સીએ 3 વર્ષ કરશે જાળવણી
ફરજિયાત 3 વર્ષ સુધી જાળવણી માટે ટેન્ડરમાં ફેરફાર
સુરતમાં ચોમાસામાં રસ્તાઓની હાલત ખરાબ થઇ જાય છે. જેને લઇ સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો અકસ્માતોની પણ સમસ્યા સામે આવે છે. ત્યારે ખરાબ રસ્તાઓને લઇ સુરત મનપા હરકતમાં આવી છે. મનપા હરકતમાં આવવું પડ્યુ છે કારણ કે કરોડોનો ટેક્સ અને હવે તો ટ્રાફિકના દંડમાં વધારાને પગલે રોડ રસ્તા પણ એટલા સરસ બનાવી આપવા પડશે ને? ત્યારે ટેન્ડરમાં નવી જોગવાઈ તો ઉમેરવામાં આવી છે પણ તે પૂરી થશે કે કેમ તેતો અધ્ધરતાલ છે.
રસ્તા રિકાર્પેટ કરતી એજન્સીએ 3 વર્ષ કરશે જાળવણી
સુરત મનપા દ્વારા ટેન્ડરોની જોગવાઇમાં ફેરફારો કરાયા છે. જેમાં રસ્તા રિકાર્પેટ કરતી એજન્સી 3 વર્ષ જાળવણી કરશે. અને નવા માર્ગ માટે 5 વર્ષ મેઇન્ટેન કરવાની પણ શરત છે.
280 રસ્તા બનાવવા માટે ટેન્ડર મગાવી દેવાયા
સુરત મનપા કમિશનરે 200 કરોડના ખર્ચે નવા રસ્તા બનાવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીમાં માગી છે. હાલ સુરત મનપા દ્વારા શહેરના 280 રસ્તા બનાવવા માટે ટેન્ડર મગાવી દેવાયા છે જેમાં 10 જેટલી એજન્સીઓએ પણ ભાવ ભર્યા છે.