ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તોડ-જોડની નીતિ શરૂ થઈ ગઈ છે. પોરબંદરમાં ભાજપના આગેવાનો સહિત 200 કાર્યકરોએ કોંગ્રેસ જોઈન કર્યુ છે.
પોરબંદરના ભાજપમાં ચૂંટણી પહેલા ભંગાણ
અર્જુન મોઢવાડીયાની આગેવાની હેઠળ કોંગ્રેસમાં જોડાયા
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણ
ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. પોરબંદરના ભાજપના આગેવાનો સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. પોરબંદરના યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના નાનાભાઈ વિજય સરમણ બપોદરા સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણ થયું છે.
આવનારા સમયમાં યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે તૈયારી આરંભી દીધી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલીકા અને 51 નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે 5મી જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરાશે. અને આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
ભાજપના 40થી વધુ હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં
કઠલાલ તાલુકાના નવા પ્રમુખ અને મહામંત્રીના વિરોધમાં તમામે રાજીનામા ધરી દીધા છે. હજુ બે દિવસ પહેલા ખેડા શહેર ભાજપના 40થી વધુ કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા.ખેડાના કઠલાલ તાલુકા ભાજપમાં સંગઠનની રચના બાદ વિવાદ સામે આવ્યો છે. તાલુકા સંગઠનના 40થી વધુ હોદ્દેદારોએ સંગઠનની રચના બાદ રાજીનામાં ધરી દેતા જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. .આ તમામ વિવાદ વિધાનસભા,લોકસભાની ચૂંટણીમાં અપક્ષનું કામ કરનારને પાર્ટી દ્વારા હોદ્દો અપાતા નારાજ થયેલ પૂર્વ તાલુકા મહામંત્રી, પેજ સમિતિ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામું ધરી દીધુ હતું. આ રાજીનામાના કારણે આગામી ચૂંટણીમાં ભાજપને ચોક્કસથી નુકસાન થવાના અણસાર લાગી રહ્યા છે.