હરિયાણાના કરનાલમાં ઘઉંના પાકમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. 200 એકરથી વધારે ઘઉનો પાક બળીને ખાક થઈ ગયો હતો.
કરનાલમાંથી મોટી દુર્ઘટના સામે આવી
200 એકર ઘઉંના પાકમાં લાગી આગ
આખા વર્ષની કમાણી બળીને ખાક થઈ ગઈ
હરિયાણાના કરનાલમાં ઘઉંના પાકમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. 200 એકરથી વધારે ઘઉનો પાક બળીને ખાક થઈ ગયો હતો. ભીષણ આગને ઠારવા માટે ઘટનાસ્થળ પર 7 ગાડીઓ આવી પહોંચી હતી. સ્થાનિક લોકોએ પણ આગને ઠારવામાં મદદ કરી હતી. ભારે જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ રીપરમાં શોર્ટ સર્કિટ થઈ હોવાનું જણાવાયું હતું.
શોર્ટ સર્કિટના કારણે આગ ફેલાઈ
આગ લાગવાની આ ઘટના કરનાલના કાછવા ગામમાં થઈ હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, નજીકના ગામ ફિરોઝપુરમાં એક રીપરમા આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું અને કાછવામાં ખેડૂતોના ખેતર સુધી આગ પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, ફાયર બ્રિગેડ વગર આગ પર કાબૂ મેળવવો અશક્ય હતો. ભારે પવનના કારણે આગ વધું ફેલાઈ હતી.
આખા વર્ષની કમાણી બળીને ખાક થઈ ગઈ
આ દરમિયાન કેટલાય ખેડૂતો રડવા લાગ્યા હતા. તેમનું કહેવુ હતું કે, આખી વર્ષની કમાણી બળીને ખાક થઈ ગઈ. હવે પોતાનું અને પશુઓનું પેટ કેવી રીતે ભરીશું.
ફાયર બ્રિગેડ કર્મચારીએ જણાવ્યુ હતું કે, માહિતી મળતા જ અમે ઘટનાસ્થળ પર થોડીવારમાં આવી પહોંચ્યા હતા. ખેડૂતો અને સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા માટે ભારે મદદ કરી હતી. જો કે, ત્યાં સુધીમાં ઘણુ નુકસાન થઈ ચુક્યું હતું.