ભાવનગર અમદાવાદ હાઈવે પર બની રહેવા પૂલના નિર્માણોએ 20 જેટલા ગામડાઓની ચિંતામાં વધારો કર્યો
વરસાદ પહેલા જ ચિંતિત લોકો
ભાલ પંથરના 20 ગામ ભયમાં
હાઈવે પરના બ્રિજ અને અગરના પાળાએ વધારી ચિંતા
ચોમાસામાં પુરના પાણીમાં ડૂબવાના ભય નીચે જીવતા 20 ગામડાઓની વાત છે. વાત ભાવનગરના ભાલ પંથકના ગામડાઓની છે. જ્યાં એક તરફ મીઠાના અગરના માલિકોએ વિશાળા પાળા બનાવ્યા છે. તો બીજી તરફ અમદાવાદ-ભાવનગર ટૂંકા માર્ગ ઉપર બની રહેલા પુલની પહોળાઈ નદીના પટ્ટ કરતા ઓછી છે. તેવામાં આ વિસ્તારોમાં આવતી નદીઓના દરિયા તરફના વહેણ ટૂંકા થઈ ગયા છે. જેણે 20 ગામના લોકોની ચિંતા વધારી છે. કેવી ચિંતા જુઓ આ રિપોર્ટમાં..
ભાવનગર જિલ્લાનો ભાલ પંથક. ચોમાસું આવતા જ બેટમાં ફેરવાઈ જતો હોય છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી જાય છે. પરંતુ હવે આ પંથકના 20 જેટલા ગામડાઓની મુશ્કેલીઓમાં બેવડો વધારો થયો છે. કારણ કે, એક તરફ પહેલાથી જ મીઠાના અગરના કારણે અને તેના બનેલા પાળાઓના કારણે આ પંથકની નદીઓના પાણી ગામડાઓમાં ફરી વળે છે. અને ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડે છે. તેવામાં હવે ભાવનગર અમદાવાદ હાઈવે પર બની રહેવા પૂલના નિર્માણોએ 20 જેટલા ગામડાઓની ચિંતામાં વધારો કર્યો છે. કારણ કે, કેટલીક જગ્યાઓ પર પુલની પહોળાઈ નદીના પટ કરતા ઓછી બનાવાઈ છે. જેના કારણે નદીના પાણીના વહેણ પણ ટૂંકા થઈ ગયા છે. અને આજ કારણે વલ્લભીપુર તાલુકાના અંદાજીત 20થી વધુ ગામના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
આ વિસ્તારના લોકોની ચિંતા એટલા માટે વધી ગઈ છે. કારણ કે, સમગ્ર પંથકમાં કાળુભા, માલેશ્રી, સહિતની નાની-મોટી 27 નદીના પાણી આવે છે. તેવામાં આ વિસ્તારમાં મીઠાના અગરના પાળાઓ બની જતા નદીનો પ્રવાહ દરિયામાં જતો અટકી જશે. અને ભાલના 20 ગામોને મોટી આફતનો સામનો કરવો પડી શકે છે. મહત્વનું છે કે, મીઠાના અગરોના કારણે જ 2018માં અને 2019માં આવેલા ભારે પુરના પાણી દરિયામાં જવાની જગ્યાએ સમગ્ર પંથકમાં ફરી મળ્યા હતા. જેના કારણે લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં ખેડૂતોની માગ છે કે, અગરના માલિકો દ્વારા ગેરકાયદે કરવામાં આવેલા દબાણો દુર કરવામાં આવે
મહત્વનું છે કે, ભાલ પંથકમાં સરકારે મીઠાના અગરો માટે વર્ષે પહેલા અને હાલમાં પણ હજારો એકર જમીન ફાળવી દીધી છે. અને આ જ મીઠાના અગરોના માલિકો બીન જરૂરી પાળા બનાવી નદીનો પ્રવાહને રોકી રહ્યા છે. તેવામાં જો તંત્ર આ ગેરકાયદે પાળા દુર નહીં કરે તો 20 ગામડાઓ પાણીમાં ડુબવાની કતારે હશે.