લાંબા સમય માટે કોરોના સંક્રમણની વિરુદ્ધ પ્રાકૃતિક ઈમ્યુનિટી બની રહે છે કે કેમ જાણો એક્સપર્ટ શું કહે છે.
20થી30 ટકા લોકોને 6 મહિના બાદ એક પ્રાકૃતિક ઈમ્યુનિટી ગુમાવી
20થી 30 ટકા લોકોના શરીરમાં વાયરસ બેકાર કરવાની પ્રક્રિયા ખતમ થવા લાગી
શોધ હજું પણ ચાલુ છે
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અનેક શહેરમાં સ્થિતિ બેકાબુ થઈ છે. આની વચ્ચે કોરોનાનું રસીકરણ અભિયાન ઝડપથી વધી રહ્યું છે. લોકોના મનમાં આના સંબંધમાં એક સવાલ એ પણ આવે છે કે આટલા લાંબા સમય માટે કોરોના સંક્રમણની વિરુદ્ધ પ્રાકૃતિક ઈમ્યુનિટી બની રહે છે.
20થી30 ટકા લોકોને 6 મહિના બાદ એક પ્રાકૃતિક ઈમ્યુનિટી ગુમાવી
ઈસ્ટીટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી તરફથી કરવામાં આવેલા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાની વિરુદ્ધ પ્રાકૃત્તિક ઈમ્યુનિટી બની રહે છે. પરંતુ કુલ સંક્રમિતોમાંથી 20થી30 ટકા લોકોને 6 મહિના બાદ એક પ્રાકૃતિક ઈમ્યુનિટી ગુમાવી દીધી છે.
20થી 30 ટકા લોકોના શરીરમાં વાયરસ બેકાર કરવાની પ્રક્રિયા ખતમ થવા લાગી
આઈજીઆઈબીના ડાયરેક્ટર ડો. અનુરાગ અગ્રવાલે એક ટ્વીટમાં કહ્યુ અધ્યયનમાં જોવા મળ્યુ કે 20થી 30 ટકા લોકોના શરીરમાં વાયરસ બેકાર કરવાની પ્રક્રિયા ખતમ થવા લાગી છે. એવુ ત્યારે થયુ જ્યારે સીરોપોઝિટિવ હતા. ડો. અગ્રવાલે કહ્યુ છે કે 6 મહિનાના આ અધ્યય આ વાતને જાણવા માટે મદદરુપ રહેશે કે આખરે કેમ મુંબઈ જેવા શહેરોમાં વધારે સીરોપોઝિટિવિટી થવાના કારણે સંક્રમણમાંથી રાહત કેમ નથી મળી રહી.
શોધ હજું પણ ચાલુ છે
આ શોધ ઘણી મહત્વપૂર્ણ છે કેમ કે આનાથી એ જાણી શકાય છે કે આખરે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર ક્યાં સુધી રહેશે. આ રસીના મહત્વની દર્શાવે છે. શોધ હજું પણ ચાલુ છે. પરંતુ હાલના સમયમાં અનેક એવી રસી છે જે સંક્રમણ સામે લડે અને મોતથી બચવામાં મહત્વપૂર્ણ મનાય છે
એક્સપર્ટ શું કહે છે
શોધકર્તાઓનું કહેવું છે કે આ શોધથી એ જાણવામાં મદદ મળશે કે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં લોકોના શરીરમાં વધારે સીરોપોઝિટિવિટી હોવા છતાં કોરોનાના વધારે કેસ કેમ આવી રહ્યા છે. આઈજીઆઈબીના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડો. શાંતનૂ સેન ગુપ્તાએ જણાવ્યું કે સપ્ટેમ્બરમાં અમે સીએસઆઈઆરની લેબમાં સીરો સર્વે કર્યો હતો. જેમાં ફક્ત 10 ટકા પ્રતિભાગિઓમાં વાયરસની વિરુદ્ધ એન્ટબોડી મળી હતી. આપણે આના પર 3થી 6 મહિના સુધી નજર રાખી અને તપાસ કરી.’