પશ્ચિમ બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચે તણાવ અને હિંસા વચ્ચે લોકસભા ચૂંટણી બાદ મમતા બેનરજીના ગઢમાં એકવાર ફરી ગાબડુ પડ્યું હોવાના ખબર છે. જેમાં ટીએમસીના ત્રણ ધારાસભ્ય અને કેટલાક કાઉન્સિલર ભાજપમાં સામેલ થયાં હતા.
ટીએમસીના કેટલાંક કાઉન્સિલર દિલ્લી પહોંચ્યાં હતા, જેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. જેને લઇને એકવાર ફરી ભાજપ અને ટીએમસી વચ્ચે તણાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપને મળેલ જીત બાદ આજરોજ ટીએમસીના કાર્યકરો તથા 3 ધારાસભ્યો ભાજપમાં જોડાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રૂબી ચેટર્જીએ જણાવ્યું કે દિલ્લીમાં 20 કાઉન્સિલર આવ્યાં છે. અમે મમતા બેનરજીથી નારાજ નથી પરંતુ બંગાળમાં ભાજપની હાલમાં થયેલી જીતથી પ્રભાવિત થઇ અમે પાર્ટીમાં સામેલ થઇ રહ્યાં છીએ. લોકો ભાજપને પસંદ કરી રહ્યાં છે અને પાર્ટી માટે કામ કરી રહ્યાં છે.