દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસ (Delhi-Ahmedabad Rajdhani Express) માં 20 મુસાફરોમાં કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ તેમાંથી પ્રવાસીઓના તપાસ દરમિયાન પહેલા કોરોનાના કોઇ લક્ષણ મળ્યાં નહોતા. ટ્રેનમાં સવાર 18 પ્રવાસીઓ એસિમ્ટોમેટિક હતા.
તેમનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 20 પ્રવાસીઓમાં 2ની ઉંમર 70 વર્ષથી વધારે છે. જો કે દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસનો આ મામલો સામે આવ્યાં બાદ આ પ્રવાસીઓને કોરોન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યાં છે. હાલમાં તેઓના સંપર્કમાં કોણ-કોણ આવ્યું હતું તેને લઇને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં બસ ડેપો અને રેલવે સ્ટેશન પર તંત્ર દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પહેલા પંજાબના લુધિયાનામાં રેલવે પ્રોટેકશન ફોર્સ એટલે કે RPFના 14 જવાન કોરોના પોઝિટિવ આવ્યાં હતા. આ બધા જવાન શ્રમિક ટ્રેનમાં તૈનાત હતા. રેલવે પ્રોટેકશન ફોર્સના 40 જવાનોને શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ફરજ માટે 7 મેના રોજ લુધિયાના મોકલવામાં આવ્યાં હતા.
જેમાંથી બે જવાન 9 મેના રોજ કોરોના પોઝિટવ જોવા મળ્યા હતા. ત્યાર બાદ 38 જવાનોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા અને બધાને રેલેવની હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન માટે મોકલી દેવામાં આવ્યા હતા.
કોરોનાકાળમાં ટ્રેન સર્વિસ ઘણી ખરાબ રીતે પ્રભાવીત જોવા મળી છે. રેલવે હાલમાં માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચલાવી રહ્યું છે. જેમાં ટિકિટ ઘણા વેઇટિંગ પછી મળી રહી છે. રેલવેના જણાવ્યાં મુજબ હાલમાં 230 ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ છે. 12 મેના રોજ રાજધાની રૂટ પર 12 જોડી ટ્રેન ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 42 લાખ ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 42 લાખ 4 હજાર 614 લોકો સંક્રમિત જોવા મળ્યાં. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ રેકોર્ડ 90 હજાર 802 નવા દર્દીઓ સામે આવ્યાં. રવિવારે 1016 દર્દીઓના મૃત્યું થયા.