મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પરેશાન થઈ ગયું છે. શનિવારની રાતથી મુંબઇમાં ભારે વરસાદ રવિવારની સવારથી પણ ચાલુ છે, જેના કારણે વિનાશનો નજારો જોવા મળી રહ્યો છે.
મુંબઈમાં દિવાલ ધરાશાયી થવા મામલો
PM મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ સહાય આપવાની કરી જાહેરાત
અત્યાર સુધીમાં 20 લોકોના થયાં મોત
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં દીવાલના ઘરાશાયી થવાને પગલે 20 લોકોનાં મોત નીપજ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે 'મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતાં લોકોના મોતથી હું દુ:ખી છું. મારી સંવેદનાઓ આ દુ:ખની ઘડીમાં શોક પામેલા પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય. '
મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની કરી જાહેરાત
તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સગાઓને વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા વળતરની પણ જાહેરાત કરી હતી.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to wall collapses in Mumbai. Rs. 50,000 would be given to those injured.
મહારાષ્ટ્રના ચેમ્બૂરમાં જમીન ખસી જવાથી દિવાલ ઝુપડીઓ પર પડી હોવાથી દુર્ઘટનામાં 20 લોકોના મૃત્યુ થયાની માહિતિ મળી રહી છે, સાથે અનેક ઘાયલ થયા છે અને 5 લોકો હજુ પણ ફસાયેલા છે.મુંબઈના ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક કલાકોના વરસાદના પહલે જન જીવન ખોવરવાયું છે. લોકોને એક જગ્યાએથી અન્ય જગ્યાએ જવામાં પણ તકલીફ પડી રહી છે. આ સમયે અહીં એક મોટી દુર્ઘટના બની છે.
ભારે વરસાદના કારણે મુંબઈ નગરી થઈ પાણી પાણી
છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસતા વરસાદથી અનેક રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાયા છે. મુંબઈ વાસીઓને ભારે વરસાદનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી છે. શહેરના ગાંધી માર્કેટમાં સડકો પર પાણી ભરાવવાના કારણે બસના ટાયરો પણ ડૂબી ગયા હતા.
લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા
હાલમાં, મુંબઈના માર્ગો પર પૂરનો નજારો જોવા મળી રહ્યો છે, જ્યારે મયાનગરીની જીવાદોરી કહેવાતી લોકલ ટ્રેન સેવા સ્થિર થઈ ગઈ છે. મુશળધાર વરસાદને કારણે મુંબઇના હનુમાન નગરથી કાંદિવલી વિસ્તાર સુધી પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. સવારે પાણી ભરાતા મુંબઇની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાયન વિસ્તારમાં પણ લોકો પરેશાન
મુંબઈમાં સાયન વિસ્તારમાં ભરાયેલા પાણીમાં લોકો રમતા જોવા મળ્યા, કેટલાક વીડિયોમાં લોકો પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે.ક્યાંક કમર સુધીના પાણી સડક પર ભરાતા સ્થિતિ મુશ્કેલ બની છે. છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસતા વરસાદથી અનેક રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાયા છે. મુંબઈ વાસીઓને ભારે વરસાદનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી છે. શહેરના ગાંધી માર્કેટમાં સડકો પર પાણી ભરાવવાના કારણે બસના ટાયરો પણ ડૂબી ગયા બતા. સાયન વિસ્તારમાં પણ લોકો પરેશાન મુંબઈમાં સાયન વિસ્તારમાં ભરાયેલા પાણીમાં લોકો રમતા જોવા મળ્યા, કેટલાક વીડિયોમાં લોકો પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે.ક્યાંક કમર સુધીના પાણી સડક પર ભરાતા સ્થિતિ મુશ્કેલ બની છે. માયાનગરીમાં અનેક વિસ્તારોમાં ઘરમાં ઘૂસ્યા પાણી માયાનગરીના અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. હનુમાન નગરમાં પાણી ઘરમાં પહોંચી જતા રહીશો પરેશાન છે તો બોરિવલીમાં પણ સડકો પર પાણીનો કહેર જોવા મળઈ રહ્યો છે. લોકો કમર સુધીના પાણીથી પરેશાન થઈ ચૂક્યા છે.