દક્ષિણ બંગાળમાં સોમવારે બપોર પછી કોલકતા સહિત ઘણા જિલ્લામાં વીજળનો પ્રકોપ જોવા મળ્યો હતો. આ દરમિયાન ભારે વરસાદ પણ પડ્યો હતો. વીજળી પડવાને કારણે મુર્શિદાબાદમાં 9, હુગલીમાં 9 અને પશ્ચિમ મિદનાપુરમાં 2 લોકોના મોત થયા હતા.
20 લોકો ખેતરમાં કામ કરી રહ્યાં હતા ત્યારે વીજળી ત્રાટકી
મુર્શિદાબાદમાં 9 લોકોના મોત થયા તો 8 લોકો ગંભીર રીતે ઈજા પહોંચી હતી. 15 થી 20 લોકો જ્યારે ખેતરમાં કામ કરી રહ્યાં હતા ત્યારે વીજળી ત્રાટકી હતી. ઘાયલોને જંગીરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બહરામપુર કોલોનીમાં પણ 2 લોકોના મોત થયા હતા તો એક વ્યક્તિને ઈજા પહોંચી હતા. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર અચાનક આવેલી આંધી બાદ ભારે વરસાદ શરુ થયો હતો. લોકો કોલોનીમાં ઘુસી ગયા હતા. બરાબર આ સમયે વીજળી ત્રાટકી હતી જેને કારણે બે લોકો બેભાન થઈ ગયા.