સરકારે તહેવારો માટે છૂટ શું આપી કે, લોકો તો એવું જ માની બેઠા છે કે, હવે કોરોના જતો રહ્યો છે. હવે કોરોનાનો ચેપ નહીં લાગે. અમે તો રસી લઈ લીધી છે અમને કોરોનાથી કોઈ ડર નથી. ત્યારે અમદાવાદમાં વધુ એક સોસાયટીના અમુક ઘરોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે ગઈ કાલે સનપુરના દેવ ફ્લેટને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરાયો હતો.
મોટેરાના સંપાદ રેસિડેન્સીના 20 ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં
દિવસેને દિવસે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય તેનો બોલતો પુરાવો છે કે હવે આરોગ્ય વિભાગ કોરોના કેસમાં એકાએક ઉછાળો આવતા અમુક વિસ્તાર અને સોસાયટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી રહ્યું છે.મોટેરાના સંપાદ રેસિડેન્સીના 20 ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોન ફરી કોરોનાકાળના એ દિવસો લોકોની આંખ સામે છતાં થવા લાગ્યા છે. હાલ શહેરમા 2 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ રાખી દેવામાં આવ્યા છે. જેના પરથી સ્પષ્ટ કહી શકાય છે કે આવનારા દિવસોમાં સંભવિત ત્રીજી લહેર દેખાડો દઈ રહી છે.
ગઈ કાલે ઇસનપુરના દેવ ફ્લેટને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરાયો હતો
દિવાળીના દિવસો ગયા અને જે દહેશત રાજ્યમાં ફરી વળતી દર્શાતી હતી.તે કદાચ ધીમે-ધીમે સામે આવી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાએ કદાચ આ જ દહેશતના પગલે વેક્સીનના બે ડોઝની કાર્યવાહીમાં કડકાઈ દાખવી છે.સ્થાનિક તબીબોએ પણ કહ્યું હતું કે, આગામી 10 દિવસ ભારે રહેશે. હવે, અમદાવાદના ઇસનપુર વિસ્તારના શહેરના ઇસનપુરના દેવ ફ્લેટને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરાયો છે.ફ્લેટના 20 મકાનોના 85 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રોખવામા આવ્યાં છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનિંગ કરવામાં આવશે. શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટિંગ પણ કરાશે.