તામિલનાડુમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. તિરુપુર જિલ્લાના અવિનાશી શહેરની પાસે આજરોજ સવારે કેરળ રાજ્ય સડક પરિવહન નિગમની બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 20 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. હાલમાં મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે.
દૂર્ઘટનાને લઇને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જો કે ઇજાગ્રસ્તોમાં ઘણા ગંભીર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે બસનો આગળનો ભાગ ટ્રકની નીચે આવી ગયો છે. પોલીસ હાલમાં દૂર્ઘટના અંગેની તપાસ કરી રહી છે.
#UPDATE Deputy Tehsildar of Avinashi: 19 people - 14 men and 5 women, died in the collision between a Kerala State Road Transport Corporation bus & a truck near Avinashi town of Tirupur district. https://t.co/pOss4LTAtv
એક મળતી વિગત અનુસાર બસ કર્ણાટકના બેંગલુરુથી કેરળના અર્નાકૂલ્લમ જઇ રહી હતી. અવિનાસીના પોલીસ અધિકારીએ જણાવ્યું કે તિરુપુર જિલ્લાના અવિનાશી શહેરની પસે કેરળ રાજ્ય સડક પરિવહન નિગમની બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 20 લોકોનાં મોત નિપજ્યાં છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર બસ 48 સીટવાળી હતી અને સંપૂર્ણ ભરેલી હતી. જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે બસમાં બધા લોકો સુતા હતા.
Chief Minister's Office (CMO) Kerala: All possible relief measures will be taken in cooperation with the government of Tamil Nadu and the District Collector of Tirupur. https://t.co/Pz02MccLf9
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવાયું છે કે CM પિનારાઇ વિજયને દૂર્ઘટના પીડિતોને ઇમર્જન્સી સેવા હેઠળ સારવાર માટે પલક્કડ જિલ્લાના કલેકટરને નિર્દેશ કર્યો છે. હાલમાં મૃતકોની ઓળખની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
Kerala Transport Minister AK Saseendran on bus-truck collision in Tamil Nadu's Tirupur dist: Senior officials from Kerala State Road Transport Corporation have rushed to the site. 20 feared dead&several injured. KSRTC Managing Director will conduct an inquiry and submit report. pic.twitter.com/avFCrYxI05
બસ-ટ્રક વચ્ચેના અકસ્માતને લઇને પરિહવન મંત્રી એકે સસીન્દ્રે જણાવ્યું કે કેરળ રાજ્ય સડક પરિવહન નિગમના વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અકસ્માતમાં 20 લોકોના મોત નિપજ્યાં છે અને અનેક ઘાયલ થયા છે. KSRCTC ના પ્રબંધ નિદેશક એક તપાસ કરશે અને રિપોર્ટ બનાવશે.