એબીપી ન્યૂઝ સી વોટરના સરવેમાં 42 ટકા લોકોએ પ્રધાનમંત્રી તરીકે મોદી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે
એબીપી ન્યૂઝ સી વોટરના સરવે સામે આવ્યો
37 ટકા લોકો અમિત શાહના કામકાજ પર અસંતોષ વ્યક્ત કર્યો
24 ટકા લોકો કેન્દ્ર સરકારથી નારાજ
સરવે દરમિયાન લોકોને પૂછવામાં આવ્યું કે પ્રધાનમંત્રી માટે કોણ સર્વશ્રેષ્ઠ ત્યારે 42 ટકા લોકોએ પ્રધાનમંત્રીનું નામ લીધું તો 12 ટકા લોકોએ રાહુલ ગાંધીને પસંદ કર્યાં. 4 ટકા લોકો મમતા બેનરજી તથા 6 ટકા લોકોએ કેજરીવાલને તેમની પસંદગીના પ્રધાનમંત્રી ગણાવ્યાં.
સૌથી વધારે નારાજગી કોને છે
સરવેમાં પૂછવામાં આવ્યું કે સૌથી વધારે નારાજગી કોની સાથે છે તો જવાબમાં 5 ટકા લોકોએ સ્થાનિક વ્યવસ્થાને જવાબદાર ઠેરવી. 17 ટકા લોકોએ રાજ્ય સરકારને તો 24 ટકા લોકોએ કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી.
પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવો માટે કોણ જવાબદાર
44 ટકા લોકો શહેરી લોકોએ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા બદલ કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી. 48 ટકા ગ્રામીણ લોકોએ કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળ્યો.
અમિત શાહના કામથી કેટલા સંતુષ્ટ
સરવે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંગે સવાલ કરાયો. 28 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ અમિત શાહના કામથી ખુશ છે તો 22 ટકા લોકોએ કહ્યું કે તેમના ઓછા ખુશ છે જ્યારે 37 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ અમિત શાહના કામથી જરા પણ ખુશ નથી.
કોરોના મહામારીની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકાર પર વારંવાર સવાલો કરતા જોવા મળે છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે ભાજપ સરકાર કોરોનામાં સ્થિતિ કાબુ કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. ઘણા લોકો એવું પણ માને છે કે પ્રધાનમંત્રી મોદીએ સ્થિતિને ખૂબ સારી રીતે સંભાળી છે નહીં તો સ્થિતિ વધુ ગંભીર બની શકી હોત.
મોદી સરકારને 7 વર્ષ પુરા થવા પર કરવામાં આવ્યો સર્વે
મોદી સરકારને સત્તામાં આવ્યાને 7 વર્ષ પુરા થઈ ગયા છે. તેમના કાર્યોને લઈને, પ્રધાનમંત્રીની લોકપ્રિયતાને લઈને અને કોરોના સંકટમાં સરકારે લીધોલા પગલાઓને લઈને લોકો શું માની રહ્યા છે તેના પર એક ખાનગી ન્યૂઝ ચેનલે સર્વે કર્યો છે. સર્વેમાં એક મહત્વનો સવાલ લોકોને એ પુછવામાં આવ્યો હતો કે કોરોના સંક્રમણની સ્થિતિમાં કોણ વધુ સારી રીતે પરિસ્થિતિ સંભાળી શકે? નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી?
લોકોએ શું આપ્યો જવાબ?
આ સવાલના જવાબમાં 66 ટકા શહેરી અને 62 ટકા ગ્રામીણ લોકોએ પોતાનો ભરોશો પીએમ મોદી પર મુક્યો છે. તેમણે જણાવ્યું કે, આ સ્થિતિમાં પીએમ મોદી જ બરાબર છે. ત્યાંજ 20 ટકા શહેરના અને 23 ટકા ગામના લોકોએ કહ્યું કે રાહુલ ગાંધી કોરોના સંકંટને વધુ સારી રીતે સંભાળી શક્યા હોત.