લેઉવા પાટીદારોના કુળદેવી એવા માં ખોડલના ભવ્યતિ ભવ્ય મંદિર એટલે કે ખોડલધામે આજથી 2 વર્ષ અગાઉ એટલે કે 21 જાન્યુઆરી 2017ના દિવસે આકાર લીધો હતો. પાટીદારો માટે એક સપના સમાન આ મંદિર બનાવવાની આધારશિલા નરેશ પટેલે રાખી હતી. ત્યારબાદ તો સમગ્ર પાટીદાર સમાજે એક અવસર સમજી મંદિર બનાવવા માટે લાગી ગયા. સમાજના એક એક વ્યક્તિએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું. તો અન્ય મોટા દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો. જેના કારણે ખોડલધામ માત્ર મંદિર જ નહીં પણ એક ધાર્મિક સામાજિક શૈક્ષણિક આસ્થાનું કેન્દ્ર બન્યું.
જ્યારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠ થઈ ત્યારે સમગ્ર રાજ્ય અને દેશ વિદેશના પાટીદારોથી લઈ નેતાઓ અને ઉદ્યોગપતિઓએ પણ કાગવડમાં માતાજીના દર્શન કર્યા હતા. તો નેતાઓએ માતાજીના દર્શન સાથે એ પાટીદાર સમાજ પર પણ પોતાની નજર ફેરવી જે સમાજ રાજ્યની સત્તાને નક્કી કરે છે. આમ આસ્થા ઉમંગ અને ઉત્સાહ સાથે માનો આ અવસર રંગેચંગે પૂર્ણ થયો હતો. જેમાં અનેક રેકોર્ડ પણ સર્જાયા હતા. ખોડલધામને 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વીટીવી વિશેષમાં આપણે ભક્તિ અને આસ્થા સમા ખોડલધામને યાદ કરીશું.
ગાથાઓનું સાક્ષી ખોડલધામ
આ મંદિરને 2 વર્ષ પૂર્ણ....
21 જાન્યુઆરી 2017ના રોજ રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે લેઉવા પાટીદારોના કુળદેવી ખોડલ માતાના ભવ્યતિ ભવ્ય મંદિરે આકાર લીધો. આ મંદિરને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 21 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 5 દિવસ સુધી યોજાયો હતો. આ પાંચ દિવસ દરમિયાન રાજકીય નેતાઓથી લઈ ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં લોકોએ માતા ખોડલના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. તો અંતિમ દિવસે અંદાજે 20 લાખ જેટલા શ્રદ્દાળુઓ કાગવળમાં ઉમટી પડતાના રોડ રસ્તા જય ખોડલના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
ખોડલધામ સમસ્ત લેઉવા પાટીદાર સમાજનું આસ્થા અને આત્મ ગૌરવનું પ્રતિક
કાગવડમાં નિર્માણ પામેલું ખોડલધામ સમસ્ત લેઉવા પાટીદાર સમાજનું આસ્થા અને આત્મ ગૌરવનું પ્રતિક છે. ખોડલધામમાં યોજાયેલી માની પ્રાણ પ્રતિષ્ઠામાં અનેક ભક્તોથી લઈ રાજકીય નેતાઓએ પણ દર્શન કર્યા હતા. નેતાઓએ માના દર્શન તો કર્યા પરંતુ તેની સાથે એ પાટીદારોના દર્શન કર્યા કે જેઓ ચૂંટણીમાં પોતાને મદદ કરી શકે. ખોડલધામ નેતાઓ માટે રાજકીય શક્તિના સંચયનું ધામ પણ બની રહ્યું.
આસ્થાનું કેન્દ્ર અને શક્તિધામ કાગવડ
કાગવડમાં નિર્માણ પામેલા ખોડલધામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે તેની તૈયારીઓ પણ જોવા જેવી હતી. આસ્થાનું કેન્દ્ર અને શક્તિધામ કાગવડમાં જ્યારે મંદિર નિર્માણ પૂર્ણ થયું ત્યારબાદ પ્રતિષ્ઠા મહોત્વને રંગેચંગે ઉજવવા માટે એક એક પાટીદારોએ જવાબદારી સ્વીકારી લીધી હતી. તૈયારીઓ એવી કરી હતી કે આવનારા કોઈને પણ તકલીફ ન થાય અને માતાજીના ભક્તિભાવથી દર્શન કરી શકે.
2017માં કાગવડ ખાતે યોજાયેલા મા ખોડલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસની તૈયારીઓમાં એક એક વસ્તુની ચિવટતા રાખવામાં આવી હતી. પોલીસ તંત્રએ પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રા
21 જાન્યુઆરીએ ખોડલધામને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે રાજકોટથી ખોડલધામ સુધી 60 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા આવતીકાલે માં ખોડલના ધામ કાગવડ પહોંચશે. માં ખોડલના દર્શન કરશે.