ગોતા ચાર રસ્તા નજીક માર્બલ્સની દુકાનમાં ટાઇલ્સ ઉતરતી વખતે 2 શ્રમિકો દટાઈ જતા મૃત્યુ
અમદાવાદની દુર્ઘટનામાં શ્રમિકોના મોત
માર્બલ્સની દુકાનમાં દુર્ઘટના
દટાઈ જતાં 2 શ્રમિકોના મોત
અમદાવાદના માર્બલ્સની દુકાન ગોઝારી ઘટના ઘટી છે. ગોતા ચાર રસ્તા નજીક આવેલી મિટાલિયન માર્બલની દુકાનમાં 2 લોકો દટાઈ જતા કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. શ્રમિકો માર્બલ્સની દુકાનમાં કામગીરી દરમિયાન ટાઇલ્સ ઉતારી રહ્યા હતા. જે વખતે 2 શ્રમિકો પર મોટી ટાઈલ્સ પડી જતા ઘટના સ્થળે જ દટાઈ જવાથી બંનેના મોત થઈ ગયા છે.
ઘટનાની જાણ હતા આસપાસના સ્થાનિકોના ટોળે ટોળા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જે બાદ સમગ્ર ઘટનાની પોલીસને પણ જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિકોની મદદથી ટાઇલ્સ ઉતરતી વખતે 2 શ્રમિકો દટાઈ ગયા હતા તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
પોલીસ સમગ્ર મામલે મિટાલિયન માર્બલના માલિક અને ત્યાં હાજર અને કામ કરતાં શ્રમિકોની બનાવ અંગે પૂછપરછ હાથ ધરી છે. અને બંને શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગોઝારી ઘટના કેવી રીતે બની અને કોણ છે જવાબદાર તેની હાલ તો તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ મૃતક શ્રમિકોના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેમના માથે દૂખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ગોતા વિસ્તારમાં આવેલી માર્બલ્સની દુકાનમાં ઘટનાની જાણ થતાં સોંપો પડી ગયો છે.