બોટાદ લઠ્ઠાકાંડ મામલો સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે. ત્યારે આ મામલે ગૃહવિભાગ એક્શન મોડમાં આવતા 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બોટાદ લઠ્ઠાકાંડને લઇને ગૃહવિભાગ દ્વારા મોટી કાર્યવાહી
લઠ્ઠાકાંડમાં 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ અને 2 SPની બદલી
બોટાદના SP અને અમદાવાદ ગ્રામ્ય SPની બદલી કરાઇ
બોટાદ લઠ્ઠાકાંડને લઇને ગૃહવિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહવિભાગ દ્વારા બોટાદ કેમિકલકાંડના 2 PSI અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ છે.
5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
એ સિવાય અમદાવાદ ગ્રામ્ય DYSP એન.વી.પટેલ, બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને પણ સસ્પેન્ડ કરાયા છે. તો બરવાળાના PSI ભગીરથસિંહ વાળા અને રાણપુરના PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા છે. એટલે કે 2 SP કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા છે.
જુઓ કોની બદલી કરાઇ અને કોને સસ્પેન્ડ કરાયા?
બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી કરાઇ
અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ
અમદાવાદ ગ્રામ્ય DYSP એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા
બોટાદ DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરાયા
ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા
બરવાળા PSI ભગીરથસિંહ વાળાને સસ્પેન્ડ કરાયા
રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરાયા
પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા
બોટાદના લઠ્ઠાકાંડમાં કુલ 43 લોકો મોતને ભેટ્યાં છે
નોંધનીય છે કે, , બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે કુલ 43 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં કેટલાંય પરિવારો પર આભ ફાટી પડ્યું છે. કોઇક પરિવારમાં પત્નીએ પતિ ખોયો, કોઇ માતાએ એકનો એક પુત્ર ખોયો, કોઇએ પોતાના પિતાને ગુમાવ્યા એમ અનેક પરિવારો રઝળી પડ્યા છે. એમાંય સૌથી વધારે રોજિદ ગામમાં મોતની સંખ્યા વધારે જોવા મળી રહી છે.
ભાવનગર સિવિલમાં દર્દીઓની સંખ્યા 104એ પહોંચી
બોટાદ લઠ્ઠાકાંડમાં ભાવનગર સિવિલમાં વધુ 2 દર્દીઓને લવાયા છે. રાત્રે વધુ 2 દર્દીઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલમાં લવાયા હતા. ત્યારે ભાવનગરની સિવિલમાં લવાયેલા દર્દીઓની સંખ્યા 104 થઈ ગઇ છે.