કોરોના વાયરસ (Coronavirus) આખી દુનિયામાં ઝડપથી ફેલાતો જઇ રહ્યો છે. દુનિયાભરમાં આ સંક્રમણના 88 હજારથી વધારે મામલાઓ સામે આવી ચૂક્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યા છે.
દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ
દુનિયાભરમાં કોરોના વાયરસના 88 હજારથી વધારે મામલાઓ નોંધાયા
દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ જોવા મળ્યા
કોરોના વાયરસના આ બે મામલાઓ દેશની રાજધાની દિલ્હી (Delhi) અને તેલંગાણા (Telangana) માં સામે આવ્યા છે. ત્યારે આ મામલે દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. Harshvardhan) એ પ્રેસ કોન્ફરન્સ કરી. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ જોવા મળ્યા છે.
આ બંને વ્યક્તિ ઇટલી અને દુબઇથી ભારત આવ્યા છે. જે બે લોકોમાં આ સંક્રમણ પોઝિટિવ જોવા મળ્યા છે એ બંનેની હાલત સ્થિર છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપી કે અત્યાર સુધીમાં ભારતમાં કુલ 5 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે.
Union Health Minister Dr Harsh Vardhan: We advise Indians to avoid non-essential travel to China, Iran, Korea, Singapore, and Italy. pic.twitter.com/WEdkCMvDn7
ડૉ. હર્ષવર્ધને જાણકારી આપી કે ટ્રાવેલ એડવાઇઝરી હેઠળ, વર્તમાનમાં ચીન અને ઇરાન માટે વર્તમાન વિઝા અને ઇ-વિઝા સસ્પેન્ડ રહેશે. સ્થિતિ બદલાવાની સાથે યાત્રા પરના પ્રતિબંધોને અન્ય દેશો પર પણ લાગૂ કરવામાં આવી શકે છે. ડૉ. હર્ષવર્ધને ભારતના લોકોને સલાહ આપી છે કે ચીન, ઇરાન, કોરિયા, સિંગાપુર અને ઇટલીની બિનજરુરી યાત્રા કરવાથી દૂર રહે.
આટલા લોકોની થઇ ચૂકી છે સ્ક્રીનિંગ
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે દેશભરના 21 એરપોર્ટ્સ, 12 મોટા પોર્ટ, અને 65 નાના બંદર પર સ્ક્રીનિંગ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એરપોર્ટ પર 5,57,431 યાત્રાળુઓ અને તમામ નાના-મોટા બંદરો પર 12,431 યાત્રાળુઓની સ્ક્રીનિંગ કરવામાં આવી છે.