મંદિરમાં મંગળા આરતી દરમ્યાન ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો હતો અને બે લોકોના મોત પણ થયા
મથુરાના બાંકે બિહારી મંદિરમાં દુર્ઘટના
બાંકે બિહારી મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી
જન્માષ્ટમીની મંગળા આરતી દરમ્યાન ભાગદોડમાં 2ના મૃત્યુ
અનેક લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
જન્માષ્ટમીએ કાન્હાના જન્મની ઉજવણી બાદ બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમ્યાન ભક્તોની ભીડ ઉમટી હતી. આ દરમ્યાન ઠાકુર બાંકે બિહારીના દર્શન માટે ઉમટેલી ભીડને કારણે બાંકે બિહારી મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી, જેના કારણે મંદિર પરિસરમાં હાજર લોકોને ગૂંગળામણ થવા લાગી હતી. જેના કારણે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજતાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી. આ સાથે 6 લોકો ઘાયલ પણ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમ્યાન એક દુ:ખદ ઘટના સામે આવી છે. મંદિરમાં મંગળા આરતી દરમ્યાન ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો હતો અને બે લોકોના મોત પણ થયા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.
Uttar Pradesh | During Mangla Arti at Banke Bihari in Mathura, one devotee fainted at exit gate of temple due to which movement of devotees was restricted. As their was huge crowd, many inside the premises were suffocated due to humidity. 2 people lost their lives: SSP, Mathura pic.twitter.com/UCy1hzVIeI
આ તરફ અકસ્માત બાદ મથુરાના SSPનું નિવેદન સામે આવ્યું છે. મથુરાના SSPએ જણાવ્યું હતું કે, બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમ્યાન મંદિરના એક્ઝિટ ગેટ પર એક ભક્ત બેહોશ થઈ ગયો હતો. જેના કારણે ભક્તોની અવરજવર પર રોક લાગી હતી. મંદિરની અંદર લોકોની ભારે ભીડ હતી. જેના કારણે મંદિર પરિસરમાં અફરા-તફરી મચી ગઈ હતી અને લોકોનો શ્વાસ રૂંધાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા.