Bhavnagar Accident News: ભાવનગર જિલ્લામાં એક રોડ અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલ્લભીપુર રોડ પર બોલેરો પીકઅપનો અકસ્માત
અકસ્માતની ઘટનામાં 2 લોકોના મૃત્યુ
18 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા
ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી શનિવારે સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 2 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 18 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાટણા રોડ નજીક બોલેરોનો અકસ્માત થતા 2ના મોત
મળતી માહિતી અનુસાર, ભાવનગરના વલ્લભીપુરના પાટણા રોડ નજીક બોલેરો પીકઅપના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બોલેરો કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં બોલેરામાં સવાર 2 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે 18 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
રોડ બિસ્માર હોવાના કારણે અકસ્માત સર્જાયાનો વાહનચાલકની સાથે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બોટાદના સુંદરિયાણા ગામે રહેતા પરિવારને અકસ્માત નડ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથધરી છે.