અત્યંત તકેદારી રાખવા છતા પણ ભારતમાં ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટની દસ્તક થઈ ચૂકી છે. ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે કે ભારતમાં ઓમિક્રોન આવી ચૂક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવાર પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુજબની માહિતી જાહેર કરી, જેનાથી દેશની ચિંતા વધી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની મોટી પ્રેસ કોન્ફરન્સ, ઓમિક્રોનને લઈને જાહેર કરી મહત્વની માહિતી
ICMRના DG બલરામ ભાર્ગવે જણાવ્યું કે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સ્થાપિત 37 લેબોરેટરીના સંઘ દ્વારા કરવામાં આવેલા જિનોમ સિકવન્સિગના રિપોર્ટમાં બન્ને કેસ ઓમિક્રોન પોઝિટીવ આવ્યાં છે. તેમણે કહ્યું કે આપણે ડરવાની જરુર નથી પરંતુ એલર્ટ રહેવું પડશે. કોવિડ અનુરુપ વ્યવહાર અત્યંત અનિવાર્ય છે.
Two cases of #Omircron detected in Karnataka so far through genome sequencing effort of INSACOG consortium of 37 laboratories established by the Ministry of Health. We need not panic, but awareness is absolutely essential. COVID apt behaviour is required: Balram Bhargava, DG ICMR pic.twitter.com/xHnQAbgvaN
લવ અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે. આ બન્ને કેસ કર્ણાટકમાં મળ્યાં છે. 66 વર્ષના એક વ્યક્તિ અને 46 વર્ષના બીજા વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં છે. તેમણે કહ્યું કે બન્ને વ્યક્તિઓમાં ઓમિક્રોનના હળવા લક્ષણો છે.
Two cases of #Omicron Variant reported in the country so far. Both cases from Karnataka: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry#COVID19pic.twitter.com/NlJOwcqGDf
18 જિલ્લા ચિંતાજનક
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ કરીને ખૂબ મહત્વની માહતી આપી છે. મંત્રાલયના સચિવે કહ્યું કે 2 રાજ્યોમા 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે તથા 55% દર્દીઓ મહારાષ્ટ્ર અને કેરળમા છે.
તેમણે કહ્યું કે 18 જિલ્લાઓ અમારી માટે ચિંતાનો વિષય-આરોગ્ય મંત્રાલય, અન્ય રાજ્યોમાં કેસ ઘટી રહ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું કે 9 રાજ્યોમા 1 હજારથી વધુ એક્ટિવ કેસ છે.