અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમનાં વિવાદ મામલે બે સાધવીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમનાં રિમાન્ડ આજે પુરા થતાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારે પોલીસ કયા પ્રકારનાં પુરાવા રજુ કરીને ફરી રિમાન્ડ માંગશે કે પછી સાધ્વીઓને ગોકળગાયની ગતિએ તપાસ ચાલું રાખશે તે જોવાનું રહ્યું. જાણો નિત્યાનંદ આશ્રમનાં લોકરમાંથી શું મળ્યું?
રિમાન્ડ પૂર્ણ થતા બન્ને સાધવીઓને કોર્ટમાં રજૂ કરાશે
પોલીસે બન્ને આશ્રમનાં ડિજીટલ લોકર તોડીને કરી તપાસ
લોકરમાંથી આશ્રમમાંથી નિકળેલા લોકોના મોબાઈલ હોવાનું સામે આવ્યું
આજે પૂર્ણ થઈ રહ્યાં છે
અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમનાં વિવાદ મામલે પોલીસે બે સાધ્વીઓની ધરપકડ કરી હતી. જેને પગલે બન્ને સાધ્વીઓને 5 દિવસનાં રિમાન્ડ મળ્યાં હતાં. જે આજે પૂર્ણ થઈ રહ્યાં છે.
ડિજિટલ લોકરમાંથી મળ્યો આ સામાન
જેને પગલે પોલીસ બન્ને આરોપી સાધ્વીઓને કોર્ટમાં રજૂ કરશે. તેમજ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ તપાસ દરમિયાન પોલીસે નિત્યાનંદ આશ્રમમાં રહેલાં ડિજિટલ લોકરનું તાળું તોડતા તેમાંથી ઈમિટેશન જ્વેલરી 6 મોબાઈલ તથા 1100 રોકડ મળ્યાં છે.
સામનને એફએસએલમાં મોકલવામાં આવશે
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આશ્રમમાંથી નિકળેવા લોકોનાં મોબાઈલ લોકરમાં હોવાનું સામે આવ્યું છે. આ સાથે લોકરમાં રાઉટર તથા 4 સીમકાર્ડ પણ મળી આવ્યાં છે. આ તમામ સામાનને એફએસએલમાં મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે.