ન્યૂઝીલેન્ડની ધરતી પર T20 સીરીજ જીતવા માટે ભારતીય ટીમનાં કેપ્ટન હાર્દિક પંડ્યા પુરે પુરૂ જોર લગાવી રહ્યા છે. T20 સીરીઝ જીતવા માટે હાર્દિક પંડ્યાએ મોટો નિર્ણય કરવો પડશે.
ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝ જીતવા હાર્દિક પંડ્યા લઈ શકે છે મોટો નિર્ણય
T20 મેચમાં બે નવા ખેલાડીઓને હાર્દિક મેદાનમાં ઉતારી શકે છે
સિરીઝમાં ભારત 1-0 થી આગળ છે
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડની ધરતી પર ટી-20 સિરીઝ જીતવા માટે પૂરી તાકાત લગાવશે. T20 સિરીઝ જીતવા માટે હાર્દિક પંડ્યા મોટી નિર્ણય લેશે. ત્યારે હાર્દિક પંડ્યા ત્રીજા અને નિર્ણાયક ટી-20 મેચમાં બે સારા ખેલાડીઓને રમવાનો મોકો આપી શકે છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી નેપિયરમાં ત્રણ મેચની T20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ રમાશે. બંને દેશો વચ્ચે આવતીકાલે ભારતીય સમય અનુસાર બપોરે 12.00 વાગ્યે મેચ રમાશે. પ્રથમ મેચ વરસાદનાં કારણે બંધ થઈ ગઈ હતી. જ્યારે બીજી મેચ જીત્યા બાદ ભારત શ્રેણીમાં 1-0 થી આગળ છે. જો ભારત ત્રીજી અને નિર્ણાયક T20 મેચ જીતશે તો તે આ T20 સીરીઝ પર કબ્જો કરી લેશે.
T20 સીરીઝ જીતવા તમામ પ્રયાસો કરશે
ન્યૂઝીલેન્ડની ધરતી પર T20 સીરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાના તમામ પ્રયાસો કરશે. T20 સિરીઝ જીતવા માટે હાર્દિક પંડ્યા લેશે મોટો નિર્ણય. હાર્દિક પંડ્યા ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બે ખતરનાક ખેલાડીઓને તક આપી શકે છે. ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં ઉમરાન મલિક અને સંજુ સેમસન જેવા ખેલાડીઓને તક મળી શકે છે.
ઋષભ અને પંતનું પ્રદર્શન સારૂ નથી
ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 માં ઈશાન કિશનની સાથે ઋષભ પંતને પણ અજમાવવામાં આવ્યો હતો, પરંતુ પરિણામ સારું ન આવ્યું. ઋષભ પંતનું પ્રદર્શન જોતા તેઓ પાસેથી શ્રેણીની છેલ્લી મેચમાં વધુ સારું પ્રદર્શન કરવાની આશા છે. સેમસન એક એવા બેટ્સમેન છે જેનો પ્લેઈંગ ઈલેવનમાં સમાંવેશ કરી શકાય છે.
હાર્દિક પંડ્યા ટીમમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યો છે
હાર્દિય પંડ્યા ટીમમાં વધુ એવા બેટ્સમેનોનો સમાવેશ કરવા વિચારી રહ્યો છે જે બોલિંગ પણ કરી શકે અને દીપક હુડ્ડા એક એવો જ વિકલ્પ છે. સૌથી મોટી નિરાશા હાલમાં બીજી T20 માં ઉમરાન મલિકનો સમાવેશ કરવો જોઈએ નહિ. ત્યારે T20 ક્રિકેટમાં ભારતને એક ફાસ્ટ બોલરની જરૂર છે. ત્યારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ફાસ્ટ બોલર વિકાસ માટે આ શ્રેણી મહત્વની છે.