શહેરમાં છેલ્લા ૪૮ કલાકમાં બે યુવકોની ઘાતકી હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. સોલામાં મોઢું છુંદાઇ ગયેલી યુવકની લાશ મળી આવી હતી જ્યારે બહેરામપુરા વિસ્તારમાં િસગારેટ પીવાની બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે.
રૂપાબહેનના પુત્ર રાકેશની મોઢું છુંદાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી
રાકેશ પત્ની મોના અને ૧૦ વર્ષના પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતાે
કોઈ કામધંધો કરતો ન હોવાના કારણે તેને નશાની લત લાગી ગઇ હતી
ગોતામાં આવેલા શનાવાડાના મોટા વાસમાં રહેતા રૂપાબહેન ઠાકોરે સોલા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી છે. રૂપાબહેનના પુત્ર રાકેશની મોઢું છુંદાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રાકેશ પત્ની મોના અને ૧૦ વર્ષના પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતાે હતો. ઘણા સમયથી કોઈ કામધંધો કરતો ન હોવાના કારણે તેને નશાની લત લાગી ગઇ હતી.
રાકેશની માતા અને પત્નીએ આ બાબતે તેને ઠપકો આપ્યો હતો
રવિવારના રોજ રાકેશ નશો કરીને ઘરે આવ્યો હતો ત્યારે રાકેશની માતા અને પત્નીએ આ બાબતે તેને ઠપકો આપ્યો હતો, જેથી રાકેશ ઝઘડો કરી ઘરેથી નીકળી ગયો હતો. અવારનવાર રાકેશ ઝઘડો કરીને જતો રહેતો અને એકાદ-બે દિવસ પછી પાછો આવી જતો હોવાથી પરિવારે આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી.
આ લાશ રાકેશની હોવાની તેમને શંકા ગઈ
મંગળવારના રોજ રૂપાબહેનના ભત્રીજાના મોબાઈલમાં ઇજાવાળી એક લાશનાે ફોટો આવતાં તેમને બતાવ્યા હતા, જેમાં આ લાશ રાકેશની હોવાની તેમને શંકા ગઈ હતી. ત્યારબાદ આ અંગે ચાંદલોડિયા રેલવે ટ્રેક પાસેના સ્થળ પર જતાં સોલા પોલીસ રાકેશના પરિવારને સોલા સિવિલ લઈ ગઈ હતી. જ્યાં આ ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. કોલ્ડ સ્ટોરેજમાં રાખેલી લાશ રાકેશના પરિવારને બતાવતાં તેના શરીર પરના ટેટુ અને મોં પરથી પરિવારજનોએ રાકેશને ઓળખી બતાવ્યો હતો. રાકેશની હત્યા બીજી જગ્યા પર થઇ હોવાનું પોલીસ માની રહી છે.
તો બીજી તરફ બહેરામપુરા મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા ધર્મેશ કબીરાએ પોલીસમાં ફરિયાદ આપી છે કે ગઇ કાલે રાતે તે ઘરે હાજર હતા ત્યારે તેમનાે નાનાે ભાઈ જયદીપ ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેમના મોટાભાઈ અજયને હિતેશ પરમાર નામની વ્યક્તિએ ગળામાં છરીનો ઘા માર્યો છે.
હિતેશ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આદરી
જયદીપ અને ધર્મેશ બહેરામપુરાની પંિડત નહેરુ સ્કૂલ પાસે સીઓની કોલોની નજીક પહોંચી ગયા હતા, જ્યાં અજય લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. બંને જણા તાત્કાિલક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હિતેશ પરમાર અને અજય કબીરા બંને મિત્રો હતા અને સિગારેટ પીવા મામલે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ આ હિંસક ખેલ ખેલાયો હતો. કાગડાપીઠ પોલીસે આ મામલે હિતેશ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી અજયની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી છે.