કેન્દ્રીય કૃષિ કાયદાના મુદ્દે જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને સમજાવવાની કોશિશમાં છે ત્યાં અન્ય તરફ તેમના સહયોગી પાર્ટીએ કાયદાની વિરોધમાં બળવો કર્યો છે.NDAના સહયોગી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સંયોજક અને નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે જાહેરાત કરી છે કે ખેડૂત આંદોલનના સમર્થનમાં 26 ડિસેમ્બરે તેમની પાર્ટી 2 લાખ ખેડૂતો સાથે રાજસ્થાનથી દિલ્હી માર્ચ કરશે.
ખેડૂત આંદોલનનો 25મો દિવસ
NDAમાં સહયોગી પાર્ટીએ જ કર્યો બળવો
26 ડિસેમ્બરે રાજસ્થાનથી દિલહી 2 લાખ ખેડૂતો સાથે કરશે કૂચ
હનુમાન બેનીવાલે કહ્યું કે આ દિવસે તેઓ એક અન્ય નિર્ણય પણ કરશે કે હવે NDAમાં રહેવું કે નહીં. તેઓએ આ પહેલાં ખેડૂત આંદોલનના સમર્થનમાં સંસદની 3 સમિતિઓના સભ્યપદથી રાજીનામું આપ્યું હતું. બેનીવાલે પોતાનું રાજીનામું લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને આપ્યું છે જેમાં બેનીવાલે સંસદની ઉદ્યોગ સંબંધી સ્થાયી સમિતિ, અરજી સમિતિ અને પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયની પરામર્શ સમિતિના પદેથી રાજીનામું આપ્યું છે.
It seems the Central govt is in the mood to quell the farmers' protest. Hence, our party has decided to lead a march of 2 lakh farmers and youths towards Delhi from Rajasthan on December 26: Rashtriya Loktantrik Party chief Hanuman Beniwal pic.twitter.com/cPNnRadSfR
2 લાખ ખેડૂતોની સાથે રાજસ્થાનથી દિલ્હી કૂ કરશેઃ બેનીવાલ
મળતી માહિતી અનુસાર બેનીવાલ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાનો સતત વિરોધ કરી રહ્યા છે. આ પહેલાં તેઓએ કહ્યું કે ખેડૂતોને માટે બનેલા સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગૂ થવો જોઈએ. પણ શનિવારે બેનીવાલે જાહેરાત કરી કે તેઓ 2 લાખ ખેડૂતોની સાથે રાજસ્થાનથી દિલ્હી કૂચ કરશે. આ દિવસે એનડીએમાં રહેવું કે નહીં તેનો પણ નિર્ણય લેશે.
निश्चित रूप से तीनों कृषि कानून किसान विरोधी हैं। प्रधानमंत्री और गृह मंत्री जी से हमने अपील भी की है। NDA गठबंधन में होने के नाते मैंने पत्र भी लिखा कि अगर आप इन्हें वापिस नहीं लेंगे तो हम NDA के समर्थन पर पुनर्विचार करेंगे: हनुमान बेनीवाल, राष्ट्रीय लोकतांत्रिक पार्टी प्रमुख pic.twitter.com/6YSHP4GObp
બેનીવાલનું કહેવું છે કે જો કેન્દ્ર સરકાર આ કૃષિ કાયદાને રદ્દ નથી કરતી તો તે એનડીએને પોતાનું સમર્થન જાહેર કરશે અને તેની પર વિચાર પણ કરશે. કૃષિ કાયદાને લીને તેઓએ ગૃહમંત્રી અમિત શાહને પણ એક પત્ર લખ્યો છે.