વિહાર કરવા નીકળેલા સાધ્વી સહિત બે લોકોના માર્ગ અકસ્માતમાં મોત, સાબરકાંઠાના વડાલી સ્થિત જેતપુર પાટીયા પાસે અકસ્માત
સાબરકાંઠાના વડાલી સ્થિત જેતપુર પાટીયા પાસે અકસ્માત
અજાણ્યા વાહનની ટક્કરે બે મહિલાના મૃત્યુ
સાધ્વી અને શ્રાવિકાનું અકસ્માતે મૃત્યુ
રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કે પછી ઓવરસ્પીડને કારણે અકસ્માતના બનાવો બને છે. ઘણીવાર આ અકસ્માતમાં રસ્તે ચાલતા નિર્દોષ લોકો પણ ભોગ બની જાય છે. ત્યારે સાબરકાંઠાના વડાલી સ્થિત જેતપુર પાટીયા પાસે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
અજાણ્યા વાહનની ટક્કરે બે મહિલાના મોત નીપજ્યાં.
શ્રાવિકા અને સાધ્વીનું મોત
સાબરકાંઠાના વડાલી સ્થિત જેતપુર પાટીયા પાસે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સાધ્વી અને શ્રાવિકાનું મોત નીપજ્યુ છે. રસ્તા પર બંને જઇ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહનની ટક્કરે બે મહિલાના મોત નીપજ્યા. ઘટનાને પગલે ભારે શોકની લાગણી ફરી વળી છે. કારણ કે માર્ગ અકસ્માતમાં અવારનવાર જૈન સાધ્વીઓના મોત નીપજે છે. બંને સાથે વિહારમાં નીકળ્યા હતા તે સમયે આ ઘટના બની.
જૈન સમુદાયમાં શોકની લાગણી
જૈન સાધ્વીજી ઈડરથી વડાલી તરફ વિહાર કરતા હતા. તે સમયે અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. જેમાં જૈન સાધ્વીજી સાથે વિહાર કરતા શ્રાવિકા યુવતીને પણ ગંભીર ઈજાઓ થઈ અને બંનેના મોત નિપજ્યા છે.ઘટનાને પગલે જૈન સમુદાયમાં શોકની લાગણી ફરી વળી છે.મૃતક શ્રાવિકાના ઈડરમાં અગ્નિસંસ્કાર કરાયા છે.જ્યારે વડાલીના વટપલ્લી મંદિરેથી સાધ્વીની પાલખી યાત્રા નીકળશે. ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો…ગંભીર અકસ્માત સર્જી પલાયન થયેલા અજાણ્યા વાહનચાલકની પોલીસ શોધખોળ હાથ ધરી છે.