રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,333 નવા કેસ નોંધાયા, 18 લોકોના સંક્રમણના કારણે મોત તો સામે આજે 4,098 દર્દીઓ આજે સાજા થયા
ગુજરાતમાં સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
ગત 24 કલાકમાં કોરોનાના 1,333 નવા કેસ
18 લોકોના સંક્રમણના કારણે થયાં મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,333 નવા કેસ નોંધાયા છે, તો 18 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,873 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 4,098 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,75,958 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 452 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 26,232 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1,70,94,620 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,74,64,314 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,72,901 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 224 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 102 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 75 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 144 કેસ, જ્યારે ગ્રામ્યમાં 81 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 83 કેસ અને ગ્રામ્યમાં 33 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....