ભાવનગર: ATMમાં નાખવાની રકમ બેંકના કર્મચારીઓએ ઉચાપત કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલા અંગેની જાણકારી લોજીકેસ સોલ્યુશન કંપનીને થતાં તેના અધિકારીઓએ નજીકના પોલીસ મથકે આ મામલા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
લોજીકેસ સોલ્યુશન કંપનીના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી હતી કે બેંકના ATMમાં નાખવાની 63 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઇને 2 કર્મચારીઓ રફુચક્કર થયા છે. આ કર્મચારીઓ બોટાદ અને વલ્લભીપુરના હોવાનું સામે આવ્યું છે.
#Bhavnagar માં 2 બેન્ક કર્મચારી સામે ફરિયાદ#ATM માં નાખવાના રૂપિયાની ઉચાપત કરી
63 લાખ રૂપિયા #ATM માં ન નાખી ઉચાપત કર્યાની ફરિયાદ#LogiCash સોલ્યુશન કંપનીએ નોંધાવી ફરિયાદ
બોટાદ અને વલ્લભીપુરના શખ્સો સામે ફરિયાદ નોંધાવી pic.twitter.com/kbmMiD3GUv
પોલીસે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને તપાસના આદેશ આપ્યા છે. આ કર્મચારીઓએ 63 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. જે રકમ બેંકના ATM માં ભરવા માટે આપવામાં આવી હતી.
જો કે આ બંન્ને શખ્સોએ આ રકમને ATM માં નહીં ભરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ બંન્ને આરોપીઓ અંગેની વિગત મોકલીને તાત્કાલિક અસરથી બંન્નેને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે.