મંગળવારના દિવસે માઠો પ્રસંગ સામે આવ્યો છે. લગ્નમાંથી પરત ફરી રહેલી કારને અકસ્માત નડતા મંગળ પ્રસંગ માતમમાં ફેરવાયો છે.
કાર પલટી મારી જતા બે લોકોના મોત
લગ્નપ્રસંગથી પરત ફરી રહી હતી કાર
એક વ્યકિતને સારવાર માટે ખસેડાયો
જેતપુર અમરનગર ગામ પાસેની ગોઝારી ઘટના બની છે. કાર પલટી મારતા બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસે અકસ્માત નોંધીને તપાસ શરૂ કરી
અમરનગરથી જેતપુર તરફ આવતા ગોઝારો બનાવ બન્યો હતો. આ ગાડી જેતપુરથી અમરનગર લગ્નપ્રંસગમાંથી પરત ફરી હતી. જ્યાં મંગળ પ્રસંગે અમંગળ ઘટના ઘટતા પરિવાર સહિતના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. હાલ પોલીસે અકસ્માત નોંધીને તપાસ શરૂ કરી છે.
અચાનક જ કાર પલટી મારી ગઈ
જેતપુરથી અમરનગર પ્રસંગમાં જઇ રહ્યાં હતા ત્યારે અચાનક જ કાર પલટી મારી ગઈ હતી અને કારમાં સવાર બે લોકના તો ત્યાં જ મોત થયા હતા જ્યારે એકને બચાવી લેવાયો છે અને એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયો