મુંબઇના ભિંડી બજાર વિસ્તારમાં ગુરૂવારે મોડી રાત્રે એક ઇમારતમાં આગ લાગતાં બે લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે મરનાર બંને મહિલાઓ હતી. આ દૂર્ઘટનામાં અન્ય 12 જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચી છે અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
બીએમસીના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળ પરતી બે મૃતદેહ મળી આવ્યાં હતા. જો કે હાલમાં આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડની સફળતા મળી છે. આગ દક્ષિણ મુંબઇના બોહરી મોહલ્લામાં આવેલ એક બિલ્ડીંગમાં લાગી હતી. આગ ગુરૂવારે મોડી રાતના 11 વાગ્યાની આસપાસ લાગી હતી અને ફાયર બ્રિગેડ રેસ્કયુ દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અંદાજે એક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મુંબઈના ભિંડી બજારમાં આવેલા બોરી મોહલ્લાના પંજાબ મહેલ ભવનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે જોતજોતામાં આગે વિકરાળ રૂપ લીધુ અને ભવનમાં ફેલાઈ હતી.
આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતાં પોલીસ સહિત 12 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મળવ્યો હતો. જ્યારે ફાયર વિભાગે ભવનમાંથી 12 જેટલા લોકોને સુરક્ષિત પણ બહાર કાઢ્યા હતા.
જો કે ફાયર વિભાગની ટીમે ભવનમાંથી બે મૃતદેહો પણ બહાર કાઢ્યા છે. આ આગની ઘટનામાં બે લોકોનાં મોત થયા છે પણ 12 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આખરે આગ પર કાબૂ મેળવાતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.