ગાંધીનગરના જમીયતપુરા ગામમાં આવેલા કનુભાઇ પટેલના ઇંટોના ભઠ્ઠામાં રહેતો પાંચ જણાનો વર્મા પરિવાર પોઇઝનિંગનો શિકાર બની ગયો હતો. જેને કારણે બે બાળકોનું મોત થયું હતુ.
મજુર પરિવારને ઝાડા ઉલટી થયા
તરબુચ ખાધું હતું અને રાત્રે ફુડ પોઇઝનિંગનો શિકાર બન્યા
બે બાળકોના થયા મોત
બિપીનભાઇ વર્મા, પત્ની ગુંજાબેન તેમજ પાંચ વર્ષનો યુવરાજ, ત્રણ વર્ષની કાવ્યા અને 3 મહિનાની કાવિશા સાથે રહેતા હતા. ગયા શનિવારે પરિવારે તરબુચ ખાધું હતું અને રાત્રે ફુડ પોઇઝનિંગનો શિકાર બન્યા હતા.
તુરંત સારવાર માટે ખસેડાયા
મજુર પરિવારને ઝાડા ઉલટી થયાની જાણ થતાં દોડી આવેલા ગામના અગ્રણી ચેતનસિંહ ઠાકોરે તાત્કાલિક અસરથી સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર કરાવી હતી.
બાદમાં ઇંટોના ભઠ્ઠાના માલિકે તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
બે બાળકોનું મોત
સારવાર દરમિયાન પરિવારના બે બાળકો પાંચ વર્ષનો યુવરાજ અને ત્રણ વર્ષની કાવ્યાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બિપીનભાઇ, તેમના પત્ની ગુંજાબેન અને પુત્રી કાવિશા સારવાર હેઠળ છે.