જમ્મુ-કાશ્મીરમાં સેક્શન 144 લાદવા છતાં અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના ટ્વીટ કરવા બદલ બે બીએસએનએલ(BSNL) અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. ગિલાનીને સંદેશાવ્યવહાર સેવા પર પ્રતિબંધ હોવા છતાં, બીએસએનએલના બે અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ના હટાવવાના પગલે સરકારે સાવચેતી રૂપે ઘાટીમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સુવિધા પર 4 ઓગસ્ટથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અલગાવવાદી નેતાને ત્યાં 8 દિવસ સુધી લેન્ડલાઇન અને ઇન્ટરનેટ સેવા ચાલુ
પરંતુ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની પાસે 8 દિવસ સુધી લેન્ડલાઇન અને ઇન્ટરનેટ સેવા ચાલુ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓને પણ ખબર નહોતી કે ગિલાની કાશ્મીરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે કે તેઓએ તેમના ખાતામાંથી ટ્વીટ કર્યું હતું.
2 અધિકારીઓ સામે કરાઇ કાર્યવાહી
આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી કે ગિલાની ઇન્ટરનેટ અને લેન્ડલાઇન સુવિધા પ્રાપ્ત કરવા માટે કેવી રીતે સક્ષમ હતા. બીએસએનએલ દ્વારા આ મામલે બે અધિકારીઓ સામે એક્શન લેવામાં આવ્યા છે. લૂપ હોલ વિશે અધિકારીઓને જાણ થતાં ગિલાનીની સેવા બંધ કરી દેવામાં આવી હતી.
ભારત વિરોધ પોસ્ટ માટે જાણીતા છે
નોંધપાત્ર વાત એ છે કે ગિલાની સતત તેના એકાઉન્ટ પરથી ભારત વિરોધી પોસ્ટ કરી રહે છે. ઘણા યુઝર્સ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પાસે ગિલાનીને પાકિસ્તાન મોકલવાની પણ માંગ કરી છે. ગયા મહિને (જુલાઈમાં) તેમના પ્રવક્તા ગુલઝાર અહેમદ ગુલઝારને પણ જાહેર સલામતી અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
લેન્ડલાઇન સુવિધા પણ થશે શરૂ
સ્કૂલ-કૉલેજોની સાથે-સાથે ઘાટીમાં પણ લેન્ડલાઇનની પણ સુવિધા શરૂ થશે. આ પહેલા કેટલાંક ભાગોમાં ફેઝ વાઇઝ આ સુવિધા શરૂ કરવામાં આવી રહી હતી. પરંતુ હવે ધીરે-ધીરે સંપૂર્ણ સુવિધાઓને આગળ વધારવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં હવે હાલત પણ ધીમે-ધીમે સામાન્ય થઇ રહ્યાં છે. શ્રીનગરમાં આજથી જ સ્કૂલો તો ખુલી છે ને હવે લેન્ડલાઇનની સુવિધા પણ શરૂ થશે. અંદાજે 14 દિવસ બાદ આ સ્કૂલો ખોલવામાં આવી. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી 370 કલમ લાગુ હતી અને હવે તેને હટાવી દીધા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદથી કાશ્મીરમાં 144 કલમ લાગુ હતી.