મહિલાઓની સુરક્ષા માટે સ્વર્ગસમા મનાતા ગુજરાતની સુરક્ષા કડીઓ ઉપર પ્રશ્નાર્થચિહ્ન મુકતા આંકડા સામે આવ્યા છે. ગાંધીનગર વિધાનસભા સત્રમાં રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ અંગેના ચોકાવાનારા આંકડા આજે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રોજના સરેરાશ 3 થી 4 બળાત્કાર અને સામુહિક દુષ્કર્મના બનાવો રાજ્યમાં બની રહ્યા છે.
રાજ્યમાં બળાત્કારના ચોકાવાનારા આંકડા સામે આવ્યા
રોજના સરેરાશ 3થી4 બળાત્કાર અને સામુહિક દુષ્કર્મના બનાવો
છેલ્લા બે વર્ષમાં 2723 બળાત્કાર અને સામુહિક બળાત્કારની ઘટના
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં 2723 બળાત્કાર અને સામુહિક બળાત્કારના બનાવો નોંધાયા છે. તો સૌથી વધુ અમદાવાદ 540 બળાત્કારની ઘટના તથા સુરત 452, રાજકોટ 158, બનાસકાંઠા 150, વડોદરા 139 અને કચ્છમાં 128 બનાવો નોંધાયા છે.
2018માં રાજયમાં કુલ 572 બળાત્કારની ઘટના
2018માં રાજયમાં કુલ 572 બળાત્કારના કિસ્સા નોંધાયા હતા જે 6 વર્ષના સૌથી વધુ હતા. 2014માં આ સંખ્યા 424 હતી. 2019ના સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં 400 રેપ કેસ નોંધાયા છે. 2014 થી સપ્ટેમ્બર 2019 વચ્ચે ગુજરાતમાં કુલ 2775 બળાત્કારના કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 2015 થી 2019 દરમિયાન 291 બળાત્કારની ઘટના બનવા પામી છે
2015થી સપ્ટેમ્બર 2019 સુધી અમદાવાદમાં 291 બળાત્કારના કેસ નોંધાયા છે જે રાજ્યના 4 મહાનગરોમાં સૌથી વધુ છે. 2018માં અમદાવાદમાં બળાત્કારના 70 કેસ નોંધાયા હતા જે 2015માં 45 કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર 2019 સુધી આ વર્ષે 54 કેસ નોંધાયા છે.
શું ગુજરાતની 'સુરક્ષિત' છાપ ભુંસાઈ રહી છે?
ગુજરાતમાં નવરાત્રી સમયે બહેનો અને દીકરીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે ફરી શકે છે જેની નોંધ UP, બિહાર, હરિયાણા જેવા રાજ્યોમાં પ્રશંસા પૂર્વક લેવાય છે. જો કે આ અહેવાલ મુજબના આંકડા જો ભવિષ્યમાં પણ ચાલુ રહ્યા તો ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષિત હોવાની છાપ ભુંસાઈ જશે અને ગુજરાત અને UPમાં કોઈ તફાવત નહિ રહે તેવી ચર્ચા ચાલી રહી છે.