ICC વર્લ્ડ કપ 2019માં મળેલી નિરાશા પછી ટીમ ઇન્ડિયા આગામી વર્ષ થનારા T-20 વર્લ્ડ કપની તૈયારીઓની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ T-20 મેચની સાથે કરશે.
ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ કુલ 3 મેચની T-20 સીરિઝ રમવાની છે. શનિવારે એટલે કે આજે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડયિમમાં પહેલી T-20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે રમવામાં આવશે. બંને વચ્ચે અત્યાર સુધી 11 T-20 મેચ રમાઇ છે. જેમાં ટીમ ઇન્ડિયાએ 5 મેચ જીતી છે, વેસ્ટ ઇન્ડિઝે પણ આટલી જ મેચ જીતી છે. જ્યારે એક મેચ ડ્રો રહી હતી.
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર જતા પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ કે, 2020 અને 2021માં થમારા વર્લ્ડ કપ T-20 પહેલા ખેલાડીઓ પાસે રમવા માટે કંઇ ને કંઇ હોય. આ માટે 2 મેચની સીરિઝમાં યુવા ખેલાડીઓને પોતાના પરફૉરમન્સ દેખાડવાનો મૌકો મળશે.
આ સીરિઝમાં મનીષ પાંડે, શ્રેયસ અય્યર અને ખલીલ અહમદ 50 ઑવરની વર્લ્ડકપમાં નહતા રમી શક્યા, પરંતુ આ સીરિઝમાં તેઓ રમશે. આ 3 ખેલાડીઓને ઇન્ડિયા A માટે વેસ્ટઇન્ડિઝમાં શાનદાર ફોર્મ કર્યુ હતુ અને આશા છે આગામી સીરિઝ માટે પણ સારુ ફોર્મ કરીને તેઓ કેપ્ટન અને સિલેક્ટર્સ પર પોતાની છાપ છોડી શકે.
It was our collective dream to play for India - Chahar brothers
From bowling on cement tracks to donning the India blue together - we track the lovely story of Deepak & Rahul Chahar - by @28anand
આ સીરિઝની મદદથી રાહુલ ચાહર અને નવદીપ સૈની પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે, કેમકે ઘણા સીનિયર ક્રિકેટર્સને આરામ આપવામાં આવ્યુ છે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં પસંદ થયેલી ટીમમાં ભુવનેશ્વર કુમાર એકમાત્ર જૂનો બૉલર છે.
બેટિંગમાં રોહિત શર્મા અને શિખર ધવન પોતાની ઇનિંગ સારી રીતે શરૂ કરશે તેવી આશા છે. જો મેનેજમેન્ટ વિરાટ પછી અય્યરને મૌકો ના આપે તો લોકેશ રાહુલની જગ્યા પાક્કી છે. આ પછી વિકેટકીપર રિષભ પંત બેટિંગ કરવા માટે આવશે.