અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પહેલો સ્પોર્ટ્સ કોન્કલેવ યોજાયો, સંસ્કાર ધામ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત
નેશનલ ગેમ્સનો પહેલો સ્પોર્ટ્સ કોન્કલેવ
સંસ્કારધામમાં કોન્કલેવનું આયોજન
રાષ્ટ્રનિર્માણમાં રમત-ગમતની ભૂમિકા અંગે ચર્ચા
રાજ્યમાં 36 નેશનલ ગેમ્સને લઈને પહેલો સ્પોર્ટ્સ કોન્કલેવ યોજાયો હતો. અમદાવાદના ગોધાવી ખાતે સંસ્કારધામમાં સ્પોર્ટ્સ કોંકલેવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગ્રુહ મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ સાથે મોનલ ચોક્સી, પીવી સિંધુ, વીવીએસ લક્ષ્મણ અને નીરજ ચોપરા સહિતના રમતવિરો અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ડિરેક્ટર જનરલ સદીપ પ્રધાન પણ હાજર રહ્યા હતા. તેમજ કેન્દ્રીય શિક્ષણ વિભાગના અધિક સચિવ સંતોષ કુમાર યાદવ ઉપરાંત સ્પોર્ટ્સ ઉદ્યોગ સાહસિકો વચ્ચે રસપ્રદ ચર્ચાઓ પણ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે નેશનલ ગેમ્સ 2022માં સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીના વિવિધ રાજ્યોના કુલ 45 રમતવીરો અલગ-અલગ 7 સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે. જેમાં ખોખો, મલ્લખમ અને આર્ચરી એમ ત્રણ સ્પર્ધાઓ સંસ્કારધામ સંકુલ ખાતે આયોજિત થઈ રહી છે. જેને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
100 દિવસમાં જ ગુજરાતમાં નેશનલ ગેમ્સને લઈ તમામ તૈયારી
ગુરુવારના રોજ દેશના મોટા સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું લોકાર્પણ કરશે. અને દેશભરમાંથી આવેલા દરેક ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવશે. આજથી 100 દિવસ પહેલા મુખ્યમંત્રીએ ઇન્ડિયન ઓલમ્પિક એસોસીએશન ગુજરાતને હોસ્ટ સ્ટેટ બનવા પત્ર લખ્યો હતો. અને એક ચેલેન્જ સ્વીકાર્યુ હતું અને 100 દિવસમાંએ ચેલેન્જ પૂર્ણ કર્યુ છે. દેશમાં અનેક સ્થળે આયોજન થયું પણ ગુજરાતમાં ઝડપથી આયોજન કરી ફરી એક મિશાલ રચી દીધી છે.
ગુજરાતમાં આવેલા દરેક રમતવીરો સારું રમે અને 10 દિવસ તેમના યાદગાર બને તેવી વ્યવસ્થાઓ: CM ભૂપેન્દ્ર પટેલ
CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને સંબોધતા કહ્યું કે PM મોદીએ 2002થી આ સફર શરૂ કરી 2022 સુધી જે વિકાસ કાર્યો થયા તેના કારણે આ શક્ય બન્યું છે. પહેલા ગુજરાતના લોકો અન્ય રાજ્ય કે દેશમાં જતાતો ખમણ ઢોકળા ગાંઠિયાના નામે રમતવીરોને બોલાવતા પણ હવે તે બદલાયું અને હવે અલગ ઓળખ ઉભી રહી છે. ગુજરાતને 2022માં નેશનલ, ઇન્ટરનેશન અને ઓલિમ્પિકમાં મેડલ મળ્યા તેનો ગર્વ છે. ગુજરાતે નેશનલ ગેમમાં 6 રાજ્યમાં રમતવીરો માટે રહેવા ખાવા અને અન્ય બાબતો પર વિશેષ ધ્યાન આપ્યું છે. ગુજરાતમાં આવેલા દરેક રમતવીરો સારું રમે અને 10 દિવસ તેમના યાદગાર બને તેવી મહેમાનગતિ અને વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ ગુજરાત ખાવા અને ડાંડિયામાં આગળ છે તેમ નવરાત્રીમાં રમતવીરો દિવસે રમત રમશે અને સાંજે તમામ ગરબા રમી શકે તેવું આયોજન પણ કર્યુ છે.
નેશનલ ગેમથી જનતા વધુ એકબીજાથી નજીક જશે: CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં નેશનલ ગેમ્સ રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં આ ગેમ રમાવવા જઈ રહી છે નેશનલ ગેમ્સ પહેલા સરકારે દરેક ગામમાં સરકારી અને ખાનગી શાળાના 50 લાખ કરતા વધુ વિધાર્થીઓ અને તેમના પરિવારે ભાગ લીધો હતો જેમાં લીંબુ ચમચી, મ્યુઝિકલ ચેર, સહિત રમતમાં જોડવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને ઘણા સ્થળેથી અદભુત ચિત્રો સામે આવ્યા કે જે કઈંક અલગ છે. જેમાં પરિવાર સાથે લોકોએ ભાગ લીધો છે ત્યા એક હિસ્ટ્રી ક્રિએટ કરી નાખી છે. આ સાથે અર્બન વિસ્તારને જોડવા અર્બન્સ ગેમ્સનું પણ આયોજન કર્યું હતુ. આ સાથે અમે પ્રયાસ કર્યો છે કે નેશનલ ગેમમાં ખેલાડી આવે છે તે ખેલને ગામ સુધી કઈ રીતે લઈ જઈ શકે તેનું આયોજન કર્યું છે. દેશના વડાપ્રધાનનો આભાર માનું છું કે આજે ગુજરાત માત્ર ખાવા પીવા થી નહિ પણ અન્ય ઓળખ પણ ઉભી કરી રહ્યુ છે. તેમને કરેલા આ પ્રયાસથી આ રમતનું આયોજન શક્ય બન્યું. આજે ગુજરાતના નાગરિકો સ્વાગતની તૈયારી ના થઈ હોય તેવા સ્વાગતની તૈયારી કરી છે. દેશને એક કરવાનું આ એક ઉત્તમ પ્લેટફોર્મ બની રહેશે.
રમત ગમત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
જે ખેલાડી રમે તેને હારવાનો ભય ન હોય તો જ તે રમી શકે છે. આપણા વડાપ્રધાને પણ હરહંમેશ આફતને અવસરમાં બદલવાની શીખ આપી તે પ્રમાણે ચાલીએ છીએ. રમતમાં છેલ્લે સુધી રમે તે જ ખેલાડી કહેવાય. મેં સ્પોર્ટસ નથી કર્યું પણ સ્વિમિંગ કરીએ ત્યારે એક ફૂટ પણ ના જવાયને ત્યા પગ જકડાય ત્યારે ખબર પડે કે કેટલું અઘરૂ છે. આપણા વડાપ્રધાને ગુજરાતમાં ખેલ મહાકુભની શરૂઆત કરી હતી. તેમને દરેક ક્ષેત્રે ગુજરાતને આગળ લાવવા પ્રયાસ કર્યો છે. શિક્ષણ. સ્વાસ્થ્ય તમામ ક્ષેત્રે પ્રયાસ કર્યો છે અને હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે તે પ્રયાસ થયો છે. નરેન્દ્ર મોદીએ જે કામ કર્યું તેમાં આપણો દેશ આગળ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. પહેલા ગંદકી થતી હવે ગંદકી કરતા લોકો સ્વચ્છતા તરફ આગળ વધ્યા છે. આજે આપણો દેશ બદલાઈ રહ્યો છે આ એક મોટો ચેન્જ છે. નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પને કારણે અમે તેમના પ્રયાસથી ઓછા સમયમાં નેશનલ ગેમનું આયોજન કર્યું.