સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં રાતે 3 વાગે ભીષણ આગ લાગી હતી જે ધીરે ધીરે વિકરાળ બની હતી5. 70થી વઝુ ફાયર વિભાગની ગાડીઓ, 4 હાઈડ્રોલિક ફાયર ફાઈટર અને 3 હાઈડ્રોલિક ફુવારાની મદદથી આગ બુઝાવવાની પ્રયાસો થઈ રહ્યા છે. ચોથા અને પાંચમા માળે હજુ પણ આગ ચાલુ છે. આ માર્કેટમાં 800થી વધુ દુકાનો આવેલી છે. અત્યાર સુધીમાં રૂા. 30 કરોડથી વધુનું નુકાસાન થઈ ચુક્યુ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ગ્રાઉન઼્ડ, પ્રથમ અને બીજો માળ બળીને ખાખ થઈ ચૂક્યો છે.
આ માર્કેટ સુરત મનપાની હદ બહાર આવ્યું છે. માર્કેટની A વિંગમાં આગ લાગી છે. ત્રણ વિંગમાં 800 દુકાન, A વિંગમાં અંદાજીત 120 દુકાન છે. 70 ટકા દુકાનોમાં કાપડનો માલ ભરેલો છે. અંદાજિત 30 કરોડથી વધુનું નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
ફાયરના 70ની વધુ ગાડીઓની મદદ લેવાઈ
ફાયરની 70થી વધુ ગાડીઓની મદદ લેવાઈ છે. 2 બુમ બ્રાઉઝર, 4 હાઈડ્રોલિક ફાયર ફાઈટર વડે કામગીરી હાથધરાઈ છે. 3 હાઈડ્રોલિક ફૂવારાથી આગ બૂઝાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 3 હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાખો લીટર પાણી આગને કાબૂમાં લેવા માટે વપરાયું છે.
ડે. કમિશનર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે
મનપાના ડેપ્યુટી કમિશનર પણ સ્થળ પર હાજર. સુરત ઉપરાંત ખાનગી કંપનીના ફાયર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. મનપાના અધિકારીઓ, ફાયરફાઈટરની સઘળી ટીમ અને અન્ય આગેવાનો પણ ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા છે.
આગ કેમ વિકરાળ બની?
વેંટીલેશનના અભાવે આગ વિકરાળ બની છે. એલિવેશનના કારણે ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. બાંધકામની મંજૂરી SUDA દ્વારા આપવામાં આવી હતી.
એ.બી.વાઘણી રઘુવિર સિલિયમ માર્કેટના આર્કિટેક્ટ છે. રઘુવીર ડેવલોપર્સ દ્વારા માર્કેટ બનાવવામાં આવી છે