ગુજરાતના અમદાવાદમાં 1992ના કોમી રમખાણોના પીડિતને 25 વર્ષ પછી વળતર મળશે.
1992ના કોમી રમખાણના પીડિતને મળ્યો ન્યાય
25 વર્ષ બાદ કોર્ટે સરકારને વળતર આપવાનો કર્યો આદેશ
રથયાત્રા દરમિયાન ફાટી નીકળ્યા હતા રમખાણો
અમદાવાદની એક અદાલતે પીડિતને દર્દ અને ગોળી લાગવાને કારણે થયેલ પીડા માટે રૂ. 49,000 નું વળતર ચૂકવવાનો ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે. પીડિતે 1996માં આ દાવો દાખલ કર્યો હતો.
ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ફાટી નીકળ્યા હતા કોમી રમખાણો
ચૌહાણે 7 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. જુલાઇ 1992માં અમદાવાદમાં રમખાણો વખતે તે 18 વર્ષનો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 2 જુલાઈ, 1992ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જે ઘણા દિવસો સુધી ચાલુ રહ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 5 જુલાઈના રોજ ચૌહાણ જ્યારે મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ તેની માતાને ટિફિન આપીને પરત ફરી રહ્યો હતો ત્યારે સ્કૂટર પર આવેલા કેટલાક લોકોએ તેના પર ગોળીબાર કર્યો હતો. તેને કમર અને છાતીમાં ગોળી વાગી હતી. તેમને 14 જુલાઈ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ખાનગી કર્મચારી તરીકે માસિક 1000 રૂપિયામાં કરતા હતા ચૂકવણી
ઘટના સમયે ચૌહાણ એક ખાનગી કર્મચારી તરીકે માસિક 1000 રૂપિયા મેળવતા હતા અને પરિવારમાં એક જ વ્યક્તિ કમાનાર હતી. તેમની ઈજાને કારણે તેમનું વેતન અડધુ થઈ ગયું અને તેના ઈલાજ માટે 10 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવેલ. સરકારી વકીલે તર્ક આપ્યો કે, રાજ્ય સરકારે ઈજાનો ખર્ચ ઉઠાવ્યો હતો અને તેમના ઘાયલ થયા બાદ વળતર તરીકે 1000 રૂપિયાની ચૂકવણી કરી હતી.
અદાલતે આદેશમાં જણાવ્યું કે, "જો કે, એવું લાગે છે કે વાદી (ચૌહાણ)એ તેની સારવાર માટે કોઈ ખર્ચ કર્યો નથી... પરંતુ આવી ઈજાના કારણે વાદી અને તેના પરિવારને અસુવિધા થઈ છે અને ઈજાના કારણે વાદીને ભારે પીડા થઈ છે," કોર્ટે કહ્યું...તેને સહન કરવું પડ્યું અને તે તેના માટે આઘાત સમાન હતું.