1984 શીખ વિરોધી રમખાણોના મામલામાં પૂર્વ કોંગ્રેસી નેતા સજ્જન કુમારને કોઇ રાહત મળી નથી. તેથી હાલ તો કુમારે જેલમાં જ રહેવું પડશે. બુધવારે સજ્જન કુમારની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી. કોર્ટે જેલમાં બંધ સજ્જન કુમારની મેડિકલ તપાસ માટે એમ્સના ડિરેક્ટરને ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ કહ્યું છે કે ચાર સપ્તાહમાં બોર્ડ રિપોર્ટ દાખલ કરે.
1984 શીખ વિરોધી રમખાણોના મામલામાં પૂર્વ કોંગ્રેસી નેતા સજ્જન કુમારને કોઇ રાહત નહીં
સજ્જન કુમારની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી
કોર્ટે કહ્યું, ચાર સપ્તાહમાં બોર્ડમાં રિપોર્ટ દાખલ કરવામાં આવે
સુનાવણી દરમિયાન સજ્જન કુમાર તરફથી કહેવામાં આવ્યું કે જેલમાં તેમનું વજન 8-9 કિલો ઘટી ગયું છે. પરંતુ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું છે કે વજન ઘટવાનો અર્થ એ નથીં કે કોઇ બીમારી હોય.
સજ્જન કુમારે પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપી જામીન માંગ્યા હતા. વાત એમ છે કે, સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર સુનાવણી જુન 2020 માટે સૂચીબદ્ધ કરાઇ હતી. જેમા સજ્જન કુમારે જલ્દી સુનાવણીની અરજી દાખલ કરી હતી. 1984ના શીખ વિરોધી રમખાણોના દિલ્હી કેન્ટ મામલામાં સજ્જન કુમાર ઉંમરકેદની સજા કાપી રહ્યા છે.
નોંધનીય છે કે, પ્રધાન જસ્ટિસ રંજન ગોગોઇની આગેવાની વાળી એક પીઠે વરિષ્ઠ અધિવક્તા શેખર નફાડેએ વખતે એક નિવેદનનું સંજ્ઞાન લીધુ હતું, જેમા કહ્યું હતું કે કુમારની જામીન અરજી પર તત્કાળ સુનાવણી કરવામાં આવે. કુમારના વકીલે જામીન અરજીને સુનાવણી માટે તત્કાળ સૂચીબદ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો ત્યારે પીઠે કહ્યું હતું, અમે તેને ધ્યાને લઇએ.