ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ યુદ્ધ થયું છે ત્યારે ભારતના વીર જવાનો સામે પાકિસ્તાને હાર સ્વીકારી પડી છે ત્યારે 1971ના યુદ્ધમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર કેપ્ટન નિર્ભય શર્માએ સેનાની વીરગાથા સંભળાવી છે.
1971માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાનના બે ટુકડા થઇ ગયા
ભારત સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ ઘૂંટણ ટેકવી દીધા
પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશનો દરજ્જો આપવામાં આવ્યો
એક લાઈનના પત્રને વાંચી સરેન્ડર
ભારત અને પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં ભારતીય સેનાના પરાક્રમ અને શૌર્યના કારણે પાકિસ્તાને નમતું જોવું પડ્યું અને પાકિસ્તાનના ભારતે બે ટુકડા કરી નાખ્યા. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું જે કેટલાય દિવસ સુધી ચાલ્યું હતું, પણ 2 પેરા બટાલિયન ગ્રુપ પહોંચી ગયા બાદ બાંગ્લાદેશની રાજધાનીમાં પાકિસ્તાનની સેના ચારેય તરફથી ઘેરાઈ ગઈ હતી. પાકિસ્તાનની સેનાને ઘેર્યા બાદ પાકિસ્તાનના જનરલ એકે નિયાઝીને એક પત્ર પાઠવવામાં આવ્યો, પત્ર લઈને જનાર કેપ્ટન નિર્ભય પર પાકિસ્તાની સેનાએ પહેલા તો હુમલો કરી દીધો પણ જેમ તેમ કરીને તે પત્ર પહોંચ્યો અને આ એક લાઈનનો પત્ર વાંચીને પાકિસ્તાનની 93 હજાર સેનાના જવાનોએ સરેન્ડર કરી દીધું.
કેપ્ટન નિર્ભય શર્માને મળી જવાબદારી
નોંધનીય છે કે આ પત્ર લઇ જનાર કેપ્ટન નિર્ભય શર્માએ પોતાનો આખો અનુભવ વર્ણવ્યો છે. તેમણે કહ્યું કે 'ભારતીય સેના ઢાકા શહેરના બોર્ડર પર હતી અને સેનાને એક મેસેજ આવ્યો કે જનરલ નિયાઝીને એક પત્ર મોકલવાનો છે. પત્ર પાઠવવા માટે મારી પસંદગી કરવામાં આવી, આ પહેલો મોકો હતો જ્યારે ભારતીય સેના પાકિસ્તાનમાં ઘુસવા જઈ રહી હતી.'
શું હતું તે એક લાઈનના પત્રમાં ?
કેપ્ટન નિર્ભયના જણાવ્યા અનુસાર જનરલ નિયાઝીને જનરલ નાગરાએ મોકલેલ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે 'My dear Abdullah, I am here. The game is up, I suggest you give yourself up to me and I will take care of you.'
નોંધનીય છે કે જનરલ નિયાઝી અને જનરલ નાગરા બંને એક બીજાને ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલાથી જ જાણતા હતા અને જનરલ નિયાઝી સરેન્ડર કરવા માટે રાજી થઇ ગયા હતા પણ તેમણે કેટલીક શરતો મૂકી હતી, આ શરતો ભારતના આર્મી ચીફ જનરલ સેમ માણેકશૉએ નકારી દીધા હતા.
પાકિસ્તાની કર્નલ સરેન્ડર કરવા તૈયાર થયા
કેપ્ટન નિર્ભયે કહ્યું કે તેમના પર પાકિસ્તાનની સેનાએ ફાયરીંગ શરુ કરી દીધું હતું, જોકે બાદમાં તેમણે હથિયાર છીનવી લીધા, જે બાદ કેપ્ટને નિર્ભયે ત્યાની સેનાને કહ્યું કે પાકિસ્તાની જનરલ તો સરેન્ડર કરવા જઈ રહ્યા છે. કેપ્ટન નિર્ભયે કહ્યુ કે થોડી વાર પછી ત્યાં એક સીનીયર આવ્યો અને કેપ્ટનને મેં પત્રની સાથે આખો મામલો સમજાવ્યો. ત્યારે તે મને તેમના કમાન્ડર પાસે લઇ ગયો જ્યાં પત્ર લેવામાં આવ્યો. અડધા કલાક પછી મેજર જનરલ મોહમ્મદ જમશેદ અમારી સાથે આવ્યા અને જીપમાં બેસીને ચાલવા લાગ્યા. જમશેદ ખાખી વર્દીમાં જ હતા.
પિસ્તોલ આપીને કર્યું સમપર્ણ
નિર્ભય શર્માએ કહ્યું કે જ્યારે તે પરત આવી રહ્યા હતા ત્યારે પણ પાકિસ્તાની સેનાના કેટલાક જવાનોએ હુમલો કરી દીધો. જેમાં મેજર સેઠીને પગમાં ગોળી વાગી જ્યારે તેજેન્દર નામક ભારતનો વીર જવાન શહીદ થયો, થોડા સમય બાદ તેઓ જનરલ નાગરા પાસે પહોંચ્યા જ્યાં કર્નલ પન્નૂ પણ ઉપસ્થિત હતા. આમ મેજર જનરલ મોહમ્મદ જમશેદે પોતાની પિસ્તોલને જનરલ નાગરાને સોંપી સરેન્ડર કરી દીધું. જે બાદ ભારત સામે પાકિસ્તાને ઘૂંટણ ટેકવી દીધા અને આધિકારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા અને બાંગ્લાદેશ બનાવવામાં આવ્યો.
કેપ્ટન નિર્ભય શર્મા : ભારતના બહાદુર રક્ષક
કેપ્ટન નિર્ભય શર્મા લેફ્ટનન્ટ જનરલ પદ સુધી પહોંચ્યા અને રીટાયર થયા બાદ પણ અરુણાચલ અને મિઝોરમમાં ગવર્નર પડે રહ્યા હતા. તેઓ પબ્લિક સર્વિસ કમીશનના મેમ્બર પણ રહી ચુક્યા છે અને તેમને વિવિધ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે.