સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના રામેશ્વરે હાલમાં પોતાની ફર્રાટ દોડથી નામ બનાવ્યું છે. રામેશ્વરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તે 100 મીટરની દોડ માત્ર 11 સેકંડમાં પૂરી કરી રહ્યો છે. રમતમંત્રી કિરણ રિજિજૂએ પણ એથલેટિક એકેડમીમાં તેને એડમિશન અપાવાનું નક્કી કર્યું છે.
કહેવાય છે કે રમતના ક્ષેત્રમાં કોઈ પ્રતિભા જોઈએ તો ગામડામાં જવું પડે. અહીં તમે ટેલેન્ટ શોધી શકો છો. અને સાથે જે તેને વધુ ટ્રેનિંગ આપીને ઇન્ટરનેશનલ લેવલ પર દેશને અનેક મેડલ અપાવી શકો છો. ઝડપથી દોડવાની વાત આવે તો હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના શિવપુરીના રામેશ્વરનો દોડવીર છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આગળ વધાર્યો છે. તેમણે પોતાના ટ્વિટર પર વીડિયો શેર કરીને લખ્યું કે ભારત વ્યક્તિગત પ્રતિભાવાળો દેશ છે. અહીં અવસર અને પ્લેટફોર્મ મળે તો લોકો ઈતિહાસ રચી શકે છે.
India is blessed with talented individuals. Provided with right opportunity & right platform, they'll come out with flying colours to create history!
Urge @IndiaSports Min. @KirenRijiju ji to extend support to this aspiring athlete to advance his skills!
ભારતના રમતગમત મંત્રી કિરણ રિજિજૂએ અપીવલ કરતાં કહ્યું કે હું આ અભિલાષી એથલીટને તેની પ્રતિભા વિકસાવવામાં મદદ કરીશ. આ ટ્વિટની સાથે શિવરાજસિંહ ચૌહાણે પત્રકારનો આભાર માન્યો કે જેની મદદથી તેમને આ વીડિયો મળ્યો. મંત્રીએ શિવરાજ સિંહ ચૌહાણની ટ્વિટ પર રિપ્લાય કર્યો અને થોડી મિનિટોમાં રમત મંત્રાલય તરફથી તેમને સમર્થન મળ્યું. રિજિજૂએ કહ્યું કે શિવરાજસિંહ આ એથલિટને મારી પાસે મોકલી આપો. હું તેને એથલિટ એકેડમીમાં ટ્રેનિંગની વ્યવસ્થા કરીશ. સોશિયલ મીડિયા પર આ એથલિટને પૂર્વ મુખ્યમંત્રીની આગેવાનીને લઈને રમત મંત્રી દ્વારા મળેલા સમર્થનને પસંદ કરવામાં આવી રહ્યું છે.