લક્ષ્મીપુરા પોલીસે દિશાંત કહાર-નઝીર મિર્ઝાની કરી ધરપકડ
વડોદરામાં 19 વર્ષીય વિદ્યાર્થીનીનો આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે વિદ્યાર્થીની પર મિત્રએ જ દુષ્કર્મ કર્યું હોવાનો વિદ્યાર્થીનીએ આક્ષેપ લગાવ્યો છે. વડોદરામાં લક્ષ્મીપુરા ખાતે ભાડાના મકાનમાં રહેતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
વિદ્યાર્થીની પર મિત્રએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ
મહત્વનું છે કે આપઘાત કરનાર સગીર વિદ્યાર્થીએ ગળેકાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ વિદ્યાર્થીની ભાડાના મકાનમાં રહેતી હતી તે દરમિયાન અન્ય ત્રણ યુવકો સાથે મિત્રતા બંધાઈ હતી આપઘાત પહેલા મૃતક વિદ્યાર્થીનીએ ત્રણ મિત્રો સાથે રાત્રે રૂમમાં દારૂની મહેફીલ માણી હતી. અને નશા હાલતમાં વિદ્યાર્થીનીના મિત્ર દિશાંત કહારે તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું મનાઈ રહ્યું છે.
સવારે સગર યુવતીએ મિત્રને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને આપઘાત પહેલા સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો ત્યારબાદ સગીર યુવતીએ નજીકમાં રહેતા પિતાના ઘરે જઈ ગળે ફાંસે ખાઈને આપઘાત કર્યો હતો.
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિની શહેરના એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.પોલીસે તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો, જેમાં હકીકત બહાર આવી હતી કે 6 માસ પૂર્વે માતાનું અવસાન થતાં યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર ડ્રિન્ક્સ પાર્ટી રાખી હતી. જ્યાં તમામે દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં દિશાંત નામના યુવકે ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ કર્યું હતું. પોલીસે યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા બે લોકોની ધરપકડ કરી લીધી છે જોકે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે જો કે પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે