આજે અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, આ દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાય છે અને સાથે તેમને ઘરમાં વિસર્જિત કરવા માટે કયા ખાસ મૂહૂર્ત છે તે પણ જાણી લેવું જરૂરી છે.
આજે અનંત ચતુર્દશી
આ ખાસ મૂહૂર્તમાં કરો ગણેશજીને વિદાય
આ સરળ રીતે કરી શકશો ગણેશજીની પૂજા અને વિસર્જન
જાણીતા જ્યોતિષાચાર્યના અનુસાર આઝે એટલે કે રવિવારે ગણેશ પ્રતિમાના વિસર્જન કરવા માટેના 3 ખાસ મૂહૂર્ત છે.
સવારે - 9થી 12 વાગ્યા સુધી
બપોરે - 1.30થી 3 વાગ્યા સુધી
સાંજે - 6 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી
ધ્યાન રાખો કે તમે ગણેશજીને સૂર્યાસ્ત પહેલા વિસર્જિત કરી શકો. જો સૂર્યાસ્ત સુધી પ્રતિમા વિસર્જિત ન થઈ શકે તો બીજા દિવસે તેને વિસર્જિત કરી લેવી. વિસર્જન પહેલા ગણેશજીનું વિધિવત પૂજન કરવું જરૂરી છે.
પૂજન માટે આ વસ્તુઓ રહેશે જરૂરી
તાંબાનો લોટો
ગંગાજળ
પંચામૃત
મૌલી
વસ્ત્ર
ચંદન
ચોખા
જનોઈ
અબીલ
ગુલાલ
કંકુ
અષ્ટગંધા
હળદર
મહેંદી
અત્તર
હાર- ફૂલ
દુર્વા
ઘીનો દીવો
ધૂપ બત્તી
સિઝનલ ફ્રૂટ
ગોળ
મોદક, લાડુ કે કોઈ મિઠાઈ
ડ્રાયફ્રૂટ્સ
પાન
લવિંગ - એલચી
આ રીતે સરળ રીતે કરો ગણેશજીની પૂજા
અનંત ચતુર્દશીના દિવસે સ્નાન કરીને ઘરના મંદિરમાં ગણેશજીની સામે પૂજા કરવાનો સંકલ્પ કરો.
સંકલ્પ બાદ ભગવાન ગણેશને ગંગાજળ ચઢાવો. જનોઈ પહેરાવો અને વસ્ત્ર, લાલ દોરો અર્પણ કરો.
અબીલ, ગુલાલ અને કંકુની સાથે ચંદન, સિંદુર, અત્તર, ફળ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો.
ગણેશ મંત્ર શ્રી ગણેશાય નમઃ બોલવાની સાથે દુર્વાની 21 ગાંઠને ભગવાનને ચઢાવો. મોદક, લાડુ અને અન્ય મિઠાઈનો ભોગ લગાવો.
કપૂર સળગાવો. દીવો અને અગરબત્તી કરીને ભગવાનની આરતી કરો.
ભગવાની પૂજામાં ગણેશ ઉત્સવમાં અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગો અને પૂજા બાદ પ્રસાદને વહેંચી દો.
આ રીતે ગણેશ પૂજા બાદ સાફ પાણી ભરો.
જળમાં દરેક તીર્થના અને પવિત્ર નદીના આહ્વાહન કરો. તેમાં ફૂલ, ચોખા, કંકુ ઉમેરો. આ પછી ગણેશજીનો મંત્ર બોલવાની સાથે ગણેશજીની પ્રતિમાને જળમાં વિસર્જિત કરો.
પાણીમાં માટીની પ્રતિમા ઓગળી જાય તો તે માટી ઘરના કુંડામાં મિક્સ કરી લો, તેમાં કોઈ પણ છોડ લગાવી શકો છો.
અનંત ચતુર્દશીએ જરૂરિયાત વાળા લોકોને ધન અને ભોજનનું દાન કરો. આ પછી સ્વયં ભોજન ગ્રહણ કરો.