કાશ્મીરની ઘાટીનાં કાશ્મીરી પંડિતો 19 જાન્યુઆરી પ્રલય દિન તરીકે ઉજવે છે. કાશ્મીરની ઘાટીમાં 19 જાન્યુઆરી 1990ના રોજ શું થયું હતું. કેમ 30 વર્ષ પહેલાં કાશ્મીરી પંડિતોએ લાખોની સંખ્યામાં કાશ્મીરમાંથી પલાયન કરવું પડ્યું હતું... એ ગોઝારો દિવસ કાશ્મીરી પંડિતોને યાદ છે...
કાશ્મીરી પંડિતો સાથે થયુ હતું આ બર્બતા ભર્યું વર્તન
5 લાખ કાશ્મીરીઓએ આ દિવસે માતૃભુમિ ત્યજી હતી
આજ કારણોસર કાશ્મીરી આ દિવસે પ્રલય દિન તરીકે ઉજવે છે
આજે આ ઘટનાને 30 વર્ષ થયાં
કાશ્મીરની ઘાટીનાં કાશ્મીરી પંડિતો 19 જાન્યુઆરી પ્રલય દિન તરીકે ઉજવે છે. કેમ કે વર્ષ 1990માં પરિસ્થિતિ વણસી હોવાથી આ તારીખે કાશ્મીરી પંડિતોએ કાશ્મીરની ઘાટીમાંથી પલાયન કરવાનું શરું કર્યું હતું. આજે આ તારીખને 30 વર્ષ પુરા થઈ રહ્યાં છે. આજનાં દિવસે કાશ્મીરી પંડિત ‘હોલોકોસ્ટ/એક્સોડ્સ ડે’(પ્રલય/ મોટી સંખ્યામાં પલાયનની તારીખ) તરીકે મનાવવામાં આવે છે.
5 લાખ કાશ્મીરી પંડિતોએ જીવ બચાવવા લીધો આ નિર્ણય
મે 1990 સુધી લગભગ 5 લાખ કાશ્મીરી પંડિત જીવ બચાવવા માટે પોતાની માતૃભૂમિ કાશ્મીરને છોડી દીધું હતું. જે સ્વતંત્ર્ય ભારતનું સૌથી મોટું પલાયન માનવામાં આવે છે.
જેને કારણે દર વર્ષે 19 જાન્યુઆરીએ જ્યાં પણ કાશ્મીરી પંડિતો રહે છે. તેઓ આ તારીખે ‘હોલોકોસ્ટ/એક્સોડ્સ ડે’તરીકે મનાવે છે.
અચાનક પડોશીઓનાં બદલાઈ ગયા હતા વ્યવહાર
આ તારીખને જ્યારે કાશ્મીરી પંડિતો યાદ કરે છે તેઓ વાત કરતા કરતાં કાંપી ઉઠે છે. ડરી ઉઠે છે. તેમનાં મોંઢામાંથી માત્ર એક જ લાઈન નિકળે છે કે આવો દિવસ ક્યારેય કોઈની જિંદગીમાં ન આવે. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિનાં અધ્યક્ષ સંજય તિકુએ એક ન્યૂઝ વેબસાઈટની સાથે વાત કરતા તેમનો અનુભવ શેર કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ 1990માં આતંકવાદની શરુઆત થતાં કાશ્મીરી સમુદાયનાં એ લોકો જે તેમની સાથે રહેતા હતા તેમનું વ્યવહાર બદલાઈ ગયો. તેની પાછળ બે કારણો હતાં. કાંતો તે આતંકવાદથી પ્રભાવિત થઈ ચુક્યાં હતા અથવા તો પછી તે જાણતા હતાં કે તેમનાં ભાઈ જેવા કાશ્મીરી પંડિતોને નુકશાન પહોંચાડવામાં આવશે.
કાશ્મીરી પંડિતોનું કત્લેઆમ કરવામાં આવ્યું
એટલે આ પ્રકારનો વ્યવહાર કરીને તેમને સુરક્ષિત બહાર કાઢી શકાતા હતાં. તિકુનાં જણાવ્યાનુંસાર પલાયન પાછળ બીજું એક મોટું કારણ હતું કાશ્મીરી પંડિતોનું કત્લેઆમ કરવામાં આવ્યું તે. પંડિતોની બહેન દિકરીઓની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યા. આજ કારણથી તેઓ પોતાની સુરક્ષા માટે લોકો પલાયનનો રસ્તો અપનાવવા લાગ્યાં.
મસ્જિદોમાંથી થયા હતા આ એલાન
વર્ષ 1990માં આ તારીખને યાદ કરતા સંજય તિકુએ કહ્યું કે શિયાળાનાં દિવસો હતાં. તેમને યાદ છે કે દુરદર્શન પર ફિલ્મ ચાલી રહી હતી. જે તેઓ જોઈ રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક લાઉડ સ્પીકર પર અવાજ આવવા લાગ્યો. મે બારીમાંથી સાંભળવાનો પ્રયાસ કર્યો, પણ સમજાયું નહી કે શું થઈ રહ્યું છે.
પછીથી દરેક મસ્જિદોમાંથી એલાન કરવામાં આવ્યું કે તમામ લોકો આઝાદી માટે બહાર આવી જાવ. કાશ્મીરી પંડિતોને પણ બહાર આવવાનું કહેવામાં આવ્યું. તેમણે કહ્યું કે તેમને યાદ છે કે એક બે દિવસ પહેલા સીઆરપીએફે કંટ્રોલ પોતાના હાથમાં લેવાનું શરુ કર્યું હતું.
એ આખી રાત નહોતા સૂતા કાશ્મીરી પંડિતો
તિકુનાં જણાવ્યાનુંસાર તે રાતે જ્યારે ‘શું અહીં ચાલશે નિઝામ-એ-મુસ્તફા’,‘એ જાલિમો એ કાફિરો કાશ્મીર હમારા છોડ દો’ જેવી નારે બાજી મજબૂત કરવામાં આવી હતી. તો કાશ્મીરી પંડિતોમાં એક ભયને માહોલ પેદા થયો હતો કે હવે શું થશે. તે રાતે ક્યારેય નથી ભુલ્યા. કેમકે તે રાત જાણે તારા ગણીને વિતાવી હતી. જ્યારે સવાર પડી પરિસ્થિતિ ભયાનક હતી.
કાશ્મીરી સમુદાયનાં લોકો હેરાન હતા. ચર્ચાનો વિષય હતો કે જઈશું ક્યાં? એ ભયાનક ઘટનાનાં 30 વર્ષ પુરા થઈ ચુક્યા છે. પરંતુ આજે પણ કડવી યાદ દરેક કાશ્મીરીનાં દિલમાં તાજી છે. જે પલાયન કરી કાશ્મીર છોડી ગયા છે.