સોમવારે મધ્યરાત્રિએ મુંબઈના કુર્લામાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા.
મુંબઈમાં જર્જરિત ઈમારત ધરાશાયી, 19ના મોત
બચાવ કામગીરી સાંજે 6.30 વાગ્યે સમાપ્ત થઈ
મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની કરી સહાય
મહત્વનું છે કે, આ ઈમારતને અગાઉ જર્જરિત જાહેર કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને સમારકામ યોગ્ય જાહેર કરવામાં આવી હતી. BMCના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 1973માં બનેલી ઈમારતના રહેવાસીઓએ તેનું સમારકામ કરાવવાની પહેલ કરી હતી, પરંતુ દેખીતી રીતે કોઈ સમારકામ થયું ન હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની બે ટીમો સાથે ફાયર બ્રિગેડ, પોલીસ, નાગરિક અધિકારીઓએ પણ બચાવ કામગીરી હાથ ધરી હતી.
Maharashtra | Rescue operation underway as several people are trapped after a four-storey building collapsed in Kurla, Mumbai last night
NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમારે જણાવ્યું હતું કે, બચાવ કામગીરી સાંજે 6.30 વાગ્યે સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ કાટમાળ હટાવવાનું કામ હજુ પણ ચાલુ હતું. સોમવારે મધરાતથી અત્યાર સુધીમાં કુલ 33 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. BMC અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી ચાર હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્યને રજા આપવામાં આવી છે.
मुख्यमंत्री उद्धव बाळासाहेब ठाकरे यांनी कुर्ला येथे इमारत कोसळून झालेल्या दुर्घटनेत मृत्यूमुखी पडलेल्या नागरिकांच्या कुटुंबियांना मुख्यमंत्री सहायता निधीतून प्रत्येकी ५ लाख रुपयांची नुकसान भरपाई देण्याचे जाहीर केले आहे.जखमींवर शासकीय खर्चाने उपचार करण्याचेही निर्देश दिले आहेत.
મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય કરી
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય મંગેશ કુડાલકરે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને જાહેરાત કરી હતી કે, મુંબઈ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના નજીકના પરિવારને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. મહત્વનું છે કે, શિવસેનાના વિધાનસભ્ય સંજય પોટનીસે કહ્યું કે 2016માં બિલ્ડિંગને C1 કેટેગરીમાં લિસ્ટ કરવામાં આવ્યું હતું. બાદમાં ઓડિટ બાદ તેને C2 હેઠળ ફરીથી વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. C2 પુનઃવર્ગીકરણ પછી તેનું સમારકામ કરવું જોઈતું હતું, પરંતુ આ કરવામાં આવ્યું ન હતું. જોકે, મને નથી લાગતું કે BMC તરફથી કોઈ બેદરકારી થઈ હોય.
Pained by the building collapse in Mumbai. In this sad hour, my thoughts are with the bereaved families and prayers with the injured. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000: PM Modi
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના નજીકના સંબંધીઓ માટે વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની જાહેરાત કરી હતી.
As per Mumbai Police, 15 injured & a total of 19 dead in Kurla building collapse. An FIR has been registered against other landlords and one Dilip Biswas under Sections 304(2), 308, 337, 338, and 34 of IPC
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, કુર્લા બિલ્ડિંગ ધરાશાયી થવાથી 15 ઘાયલ થયા અને કુલ 19 લોકોના મોત થયા. જે મામલે પોલીસે અન્ય મકાનમાલિકો અને એક દિલીપ બિસ્વાસ નામના વ્યક્તિ સામે IPCની કલમ 304(2), 308, 337, 338 અને 34 હેઠળ FIR નોંધવામાં આવી છે.