દેશની સંસદ પર થયેલા હુમલાને 17 વર્ષ વીતી ગયા અને આજે સમગ્ર દેશે 18મી વરસીએ એ શહીદોને યાદ કર્યા જેમણે લોકશાહીના મંદિરના રક્ષણ માટે પોતાના પ્રાણ કુરબાન કરી દીધા. એ દિવસે સમગ્રદેશ થરથરી ઉઠયો હતો. કેમકે એ હુમલો દેશની રાજધાની અને લોકશાહીના સૌથી મોટા મંદિર સંસદભવન પર થયો હતો.
સંસદ પર થયેલા હુમલાને 18 મી વરસી
ગૃહમંત્રાલયનું કાર પાસિંગ ધરાવતી કારમાં આવેલ આતંકીઓએ બાનમાં લીધી હતી સંસદ
16 સુરક્ષાકર્મીઓ અથડામણમાં થયાં ઘાયલ
13 ડિસેમ્બર, 2001ના એ દિવસે સંસદનું શિયાળુસત્ર ચાલી રહ્યું હતું. વિપક્ષે સંસદમાં હોબાળો મચાવી દીધો હતો. જેના કારણે બન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક સાંસદો પણ સંસદની અંદર હાજર હતા. સંસદની અંદર સાંસદોનો શોર શાંત પડી ગયો હતો. પરંતુ બહાર સંસદભવન પરિસર અચાનક બંદૂક અને ગોળીઓના અવાજથી ધણધણી ઊઠયું. ગોળીબારના અવાજથી સંસદની દિવાલો ગાજી ઊઠી.
ગૃહમંત્રાલયનું કાર પાસિંગ ધરાવતી કારમાં આવ્યા આતંકવાદી
સંસદભવનના પરિસરમાં અચાનક ગૃહમંત્રાલયનું કાર પાસિંગ ધરાવતી એક સફેદ એમ્બેસેડરથી આવેલા પાંચ આતંકવાદીઓ 45 મિનિટ સુધી લોકતંત્રના આ મંદિરને ગોળીઓ અને બોંબથી થરથરાવી દીધું હતું. આંતકીઓના નાપાક પગલાં લોકતંત્રના મંદિરના દરવાજા સુધી પહોંચી ગયા હતા સંસદ પરિરસની અંદર હાજર સુરક્ષાકર્મીઓએ અચાનક થયેલા હુમલાનો બહાદુરી પૂર્વક સામનો કર્યો.
16 સુરક્ષાકર્મીઓ અથડામણમાં થયાં ઘાયલ
લોકતંત્રના આ મંદિરને કોઈ આંચ ન આવે તે માટે બહાદુર જવાનોએ પાતના પ્રાણની બાજી લગાવી દીધી. સુરક્ષાકર્મીઓએ ખૂબ જ વીરતાપૂર્વક સામનો કરી તમામ આતંકીઓને ઠાર કરી નાખ્યા. જો કે આતંકીઓનો સામનો કરતાં દિલ્લી પોલીસના પાંચ જવાનો. સીઆરપીએફની એક મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ શહીદ થઈ ગયા. આ હુમલમાં એક પત્રકાર પણ મૃત્યુ પામ્યા હતા. 16 સુરક્ષાકર્મીઓ આ અથડામણમાં ઘાયલ થયા હતા.
હુમલા બાદ સંસદ પર હુમલાનું ઘૃણાસ્પદ કાવતરું ઘડવાના આરોપી તરીકે અફઝલ ગુરુને દિલ્હી પોલીસે ધરપકડ કરી. કાનૂની પ્રક્રિયા બાદ 9 ફેબ્રુઆરી 2013માં અફઝલ ગુરુને ફાંસીની સજા આપવામાં આવી. જો કે, સંસદ પર હુમલાના માસ્ટ માઈન્ડ અને આ ઘટનાને પાકિસ્તાનથી સંચાલિત કરી રહેલા મૌલાના મસૂદ અઝહર. ગાઝાબાબા ઊરફે અબૂ જેહાદી અને તારીક અહેમદે આ ઘટનાને આ અંજામ આપ્યો હતો. આ ત્રણ ગુનેગારોને હજુ સુધી સજા મળી શકી નથી. દેશની સૌથી મહત્ત્વની ઈમારત પર થયેલા આ હુમલાએ દેશવાસીઓને ઝકઝોરી દીધા હતા.
સંસદભવન પર આતંકવાદી હુમલાને આજે 18 વર્ષ થયાં
સંસદભવન પર આતંકવાદી હુમલાને આજે 18 વર્ષ પૂરા થઈ ગયા. પરંતુ તે હુમલાના જખમ આજે પણ દેશવાસીઓના દિલ અન દિમાગમાં તાજા છે. .સંસદ પરિરસમાં સંસદ પર હુમલા દરમિયાન પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા જવાનો અને કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. .રાષ્ટ્રપતિ રામનાથ કોશવદે એક ટ્વીટ કરીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે,-
સંસદભવન પર હુમલાની 18મી વરસીએ રાષ્ટ્રપતિ રામનાથ કોશવદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ, પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહ સહિત અનેક કેદ્રીયમંત્રીઓએ આઠેય સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.