એક તરફ છેલ્લા 77 દિવસથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતોએ કૃષિ કાયદાને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે તો બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડ સાથે ખેડૂતને જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 2020થી એક ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતો માટા સારા સમાચાર
કેન્દ્ર સરકારની યોજનાથી ખેડૂતો મળશે મોટી લોન
રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપી જાણકારી
સાર્વજનિક બેંકો તથા નાબાર્ડ દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, 29 જાન્યુઆરી 2021 સુધી દેશભરમાંથી 1.76 લાખ કરોડની ખર્ચ સીમા સાથે 187.3 લાખ કેસીસી સ્વીકૃત કરવામાં આવ્યા છે.
રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આપી જાણકારી
ઉલ્લેખનીય છે કે, આ જાણકારી કેન્દ્ર નાણા તથા કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ સમયે આપી હતી. તમામ ખેડૂતો માટે ઉત્પાદક સામગ્રી જેમકે, વીજળી, ખાતર તથા કીટાણુનાશક વગેરે માટે સક્ષમ બનાવે છે.
ખેડૂતોને મળશે અનેક સુવિધાઓ
વર્ષ 2012થી કેસીસી યોજનાને વધુ સરળ બનાવવામાં આવી છે. જે અંતર્ગત લાભાર્થીઓને એટીએમ જેવા ડેબિટ કાર્ડની સાથે દસ્તાવેજીકરણની સુવિધા સહિત અનેકવિધ સુવિધાઓ આપવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, દેશમાં ગત 3 વર્ષ દરમિયાન જાહેર કરવામાં આવેલ કેસીસીની કુલ સંખ્યા RBI અને નાબાર્ડ દ્વારા ક્રમશ: અનુબંધ-1 તથા અનુબંધ-2માં આપવામાં આવેલ છે.